July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2004ની લોકસભા ચૂંટણીમાં ડાહ્યાભાઈ પટેલ બીજી ટર્મ માટે ચૂંટાતા દમણ-દીવમાં કોંગ્રેસની દાદાગીરી અને ભાઈગીરીની થયેલી શરૂઆત

સાંસદ તરીકે ડાહ્યાભાઈ પટેલની હાક અને ધાક હોવા છતાં સોમનાથના ઈશ્વરભાઈ પટેલ અને તે સમયના આર.ટી.ઓ. કિરીટ વાજા તથા અન્‍ય અધિકારીઓએ પણ ખુલ્લેઆમ ભાજપનું કર્યું હતું કામ

આ ચૂંટણીમાં ભાજપના ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)નો માત્ર 607 મતે પરાજય થયો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : 2004ના વર્ષમાં લોકસભાની દમણ અને દીવ બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના શ્રી ડાહ્યાભાઈ પટેલની સામે ભારતીય જનતા પક્ષે પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ને ઉતાર્યા હતા. આ જંગ ખુબ જ રસપ્રદ અને રોમાંચક રહ્યો હતો.
સાંસદ તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલની હાક અને ધાક હોવા છતાં સોમનાથના શ્રી ઈશ્વરભાઈ પટેલે ખુલ્લેઆમ ભાજપની તરફેણમાં કામ કર્યું હતું. તત્‍કાલિન આર.ટી.ઓ. શ્રી કિરીટભાઈ વાજા સહિત કેટલાક અધિકારીઓએ પણ કોઈપણ પ્રકારની પરવા કર્યા વગર ભાજપ અને શ્રી ગોપાલ દાદાના પક્ષમાં કામ કર્યું હતું. જેની ઉચ્‍ચ સ્‍તરે કોંગ્રેસ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી.
શ્રી ગોપાલ દાદાના પક્ષમાં કોળી પટેલ સમાજનોબહુમતિ વર્ગ પણ આવી ગયો હતો અને તેમને વિજયી બનાવવા માટે તનતોડ પ્રયાસ પણ કરતા હતા. પરંતુ મતદાનના દિવસે કોંગ્રેસ અને શ્રી ડાહ્યાભાઈ પટેલના સમર્થકોએ અપનાવેલી આગવી રણનીતિ સામે ભાજપ સંગઠન અને શ્રી ગોપાલ દાદા ચેકમેટ થઈ ગયા હતા. જેના પરિણામે શ્રી ડાહ્યાભાઈ પટેલને 27,523 મત મળ્‍યા હતા. જેની સામે ભાજપના શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ને 26,916 મત મળતાં માત્ર 607 મતે પરાજય થયો હતો. આ 607 મત મુખ્‍યત્‍વે દાભેલના પરપ્રાંતિયો પાસે કોંગ્રેસે તે વખતે કરાવ્‍યા હોવાની વાત વહેતી થઈ હતી.
શ્રી ડાહ્યાભાઈ પટેલ બીજી ટર્મ માટે સાંસદ બન્‍યા હતા અને કેન્‍દ્રમાં પણ કોંગ્રેસ શાસિત યુપીએની સરકાર આવતાં દમણ અને દીવમાં દાદાગીરી અને ભાઈગીરીની પણ શરૂઆત થઈ હતી. (ક્રમશઃ)

Related posts

વલસાડ જિલ્લા ખડાયતા સમાજ દ્વારા 23મો રમોત્‍સવ વલસાડ વેદાંત સ્‍કૂલ પરિસરમાં યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત વરસાદને પગલે પોલ્‍ટ્રી ફાર્મ, ઘર અને શાળાની દિવાલ ધરાશાયી

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં 75માં ગણતંત્ર દિવસની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

પાંચ દિવસના દિપોત્‍સવનો દ્રષ્ટિકોણઃ લક્ષ્મીસંપત્તિને માતૃસ્‍વરૂપ માની જીવનમાંથી આળસ પ્રમાદ અસ્‍વચ્‍છતા સહિતના અનિષ્ટોને જીવનમાંથી દૂર કરવાનું પર્વ

vartmanpravah

‘એક વ્‍યક્‍તિ એક પદ’ની કડક નીતિ મુજબ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંઘપ્રદેશ થ્રીડી ભાજપ દાનહ, દમણ અને દીવના નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી શકે છે

vartmanpravah

ખાનવેલ ગ્રા.પં.ના 11 આંગણવાડી સેન્‍ટરો ઉપર પૌષ્‍ટિક આહાર કીટ, બિસ્‍કિટ તથા રાગીના લાડુનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment