July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં નવા બસ સ્‍ટેશનના બાંધકામમાં હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ કરાતા કામની ગુણવત્તા સામે ઉભા થયેલ અનેક સવાલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલીમાં રૂા.3.04 કરોડના ખર્ચે નિર્માણ કરાઈ રહેલ બસ સ્‍ટેશનના કામમાં હલકી કક્ષાની રેતી સહિતના માલસામાનનો ઉપયોગ કરવામાં આવતા કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.
ચીખલી એસટી બસસ્‍ટેશનનું બાંધકામ ચાલી રહ્યુ છે. આ સુવિધા સફર નવીન બસ સ્‍ટેશનના બાંધકામમાં ખાસ કરીને ધૂળ વાળી મેલી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુણવત્તા વિનાની રેતીનો બાંધકામ અને કોન્‍ક્રીટમાં ઉપયોગથી કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થવા પામ્‍યા છે. આ ઉપરાંત હાલે જ કોલમ ઉભા કરવામાં આવ્‍યા છે તેના પાયામાં રબલનું આવરણ પણ નજરે પડતું નથી ત્‍યારે ફાઉન્‍ડેશનની ડિઝાઈનમાં રબલ સોલિંગની જોગવાઈ જ નથી કરવામાં આવી કે પછી જોગવાઈ હોવા છતાં રબલ નાખવામાં નથી આવ્‍યા તે તપાસનો વિષય છે. પરંતુ હાલે જે રીતે બાંધકામ થઈ રહ્યું છે. તે જોતા તકલાદી કામની ભીતી સેવાય રહી છે. એસટી તંત્રના જવાબદાર અધિકારીઓની પૂરતી દેખરેખનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં ડિઝાઈનમાં નિયત કરાયેલ જોગવાઈ મુજબનું માલ-સામાન વાપરી તેનું પ્રમાણ પણ જાળવવામાં આવે અને સરકારની લાખો રૂપિયાના ખર્ચેનો ખરા અર્થમાં લોકોને લાભ મળે તે રીતે ગુણવત્તા યુક્‍ત કામ થાય તેની તકેદારી જવાબદાર અધિકારીઓ દ્વારા રાખવામાં આવે તે જરૂરી છે.

Related posts

પારડી તાલુકાના પલસાણા ગામનો ઉપ સરપંચ બન્‍યો ડુપ્‍લીકેટ નાયબ મામલતદાર

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત મંગળવારથી બે દિવસ માટે દમણના કોળી સમાજના હોલમાં વાણિજ્ય ઉત્સવ(ઍક્સ્પો)નું આયોજન

vartmanpravah

સેલવાસનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

ચણોદ ત્રણ રસ્‍તા રાજમાર્ગ ઉપર નેતાઓના પૂતળા રાખવાની હિલચાલ સામે ગામના નાગરિકોનો વિરોધ

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર તટે 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ કરાયો

vartmanpravah

Leave a Comment