July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

પેટાઃદાનહના મુક્‍તિના 69 વર્ષ બાદ પણ છેવાડેના આદિવાસીઓના ઘર સુધી બુનિયાદી સુવિધા પહોંચી નથી પરંતુ મોદી સરકારના આગમન બાદ બદલાયેલી દશા અને દિશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલીના આંબાબારી કૌંચા ખાતે પંચાયત ઘરોનું ભૂમિપૂજન તથા વિવિધ યોજનાઓના લાભોની જાણકારી અને વિતરણ કાર્યક્રમનું નેતૃત્‍વ કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ આવતી કાલે દાદરા નગર હવેલી ખાતે નિર્મિત થનારી કેટલીક ગ્રામ પંચાયતોના ઘરોનું ભૂમિપૂજન આંબાબારી કૌંચાથી કરશે.
અત્રે નોંધનીય છે કે, ભારત સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ દાદરા નગર હવેલીના છેવાડેના આદિવાસી સુધી પહોંચે તે બાબતે પ્રશાસન હંમેશા પ્રયાસરત રહે છે. દાદરા નગર હવેલીની મુક્‍તિના 69 વર્ષ બાદ પણ છેવાડેના આદિવાસીઓના ઘર સુધી બુનિયાદી સુવિધા પહોંચી નથી. મોદી સરકારના આગમન બાદ પહેલી વખત દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી પરિવારોની પ્રશાસન દ્વારા કાળજી લેવાઈ રહી છે અને તેમને તંદુરસ્‍ત, શિક્ષિત અને પ્રશિક્ષિત બનાવવા અભિયાન શરૂ કરાયું છે.
આવતી કાલે સવારે 9:30 વાગ્‍યાથી આંબાબારી કૌંચા ખાતે પંચાયત ઘરોનાભૂમિપૂજન અને વિવિધ ઘરોના લાભોની જાણકારી તથા વિતરણ કાર્યક્રમના સમારંભનું આયોજન થશે.

Related posts

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઘોઘલા-બુચરવાડા ખાતે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની કરેલી મુલાકાતઃ ગુણવત્તા અને સુવિધા સુધારવા આપેલું અલ્‍ટીમેટમ

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંક દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મહત્ત્વાકાંક્ષી ‘‘ગૌ લીલા” યોજનાનો આરંભ

vartmanpravah

જય અંબે થાણાપારડી યુવક મંડળ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટની પાંચમી સિઝનમાં દેહરીની ટીમ ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી દાદરા

vartmanpravah

નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓએ ‘‘હર ઘર તિરંગા” થીમ પર રજૂ કરી મનમોહક ક્લાકૃતિ

vartmanpravah

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

Leave a Comment