Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

પેટાઃદાનહના મુક્‍તિના 69 વર્ષ બાદ પણ છેવાડેના આદિવાસીઓના ઘર સુધી બુનિયાદી સુવિધા પહોંચી નથી પરંતુ મોદી સરકારના આગમન બાદ બદલાયેલી દશા અને દિશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલીના આંબાબારી કૌંચા ખાતે પંચાયત ઘરોનું ભૂમિપૂજન તથા વિવિધ યોજનાઓના લાભોની જાણકારી અને વિતરણ કાર્યક્રમનું નેતૃત્‍વ કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ આવતી કાલે દાદરા નગર હવેલી ખાતે નિર્મિત થનારી કેટલીક ગ્રામ પંચાયતોના ઘરોનું ભૂમિપૂજન આંબાબારી કૌંચાથી કરશે.
અત્રે નોંધનીય છે કે, ભારત સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ દાદરા નગર હવેલીના છેવાડેના આદિવાસી સુધી પહોંચે તે બાબતે પ્રશાસન હંમેશા પ્રયાસરત રહે છે. દાદરા નગર હવેલીની મુક્‍તિના 69 વર્ષ બાદ પણ છેવાડેના આદિવાસીઓના ઘર સુધી બુનિયાદી સુવિધા પહોંચી નથી. મોદી સરકારના આગમન બાદ પહેલી વખત દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી પરિવારોની પ્રશાસન દ્વારા કાળજી લેવાઈ રહી છે અને તેમને તંદુરસ્‍ત, શિક્ષિત અને પ્રશિક્ષિત બનાવવા અભિયાન શરૂ કરાયું છે.
આવતી કાલે સવારે 9:30 વાગ્‍યાથી આંબાબારી કૌંચા ખાતે પંચાયત ઘરોનાભૂમિપૂજન અને વિવિધ ઘરોના લાભોની જાણકારી તથા વિતરણ કાર્યક્રમના સમારંભનું આયોજન થશે.

Related posts

સાંસદ લાલુભાઈ પટેલે મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના સાથે ૬૦ બાળકોને કપડાંનુ દાન કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

પ્રશાસકશ્રીની દાનહ મુલાકાતનો બીજો દિવસઃ વિકાસકામોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

vartmanpravah

લંડન-કેન્‍યાના 108 એન.આર.આઈ.એ વાપી મુક્‍તિધામની મુલાકાત લીધી : ભુજમાં શીશુકુંજ શાળાના ભંડોળ માટે રિક્ષાયાત્રા

vartmanpravah

વાપીના 99 ઉદ્યોગપતિઓને ઉદ્યોગમાંથી નિકળતું પાણી સીઈટીપીમાં છોડવા માટે જી.પી.સી.બી.એ પરમીશન આપી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વાતાવરણમાં પલ્‍ટો આવતા ખેડૂતોમાં વ્‍યાપેલી ચિંતા: કેરી સહિત શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ

vartmanpravah

Leave a Comment