December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.26 : દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ સહિત અન્‍ય રાજ્‍યોના પાકિસ્‍તાની જેલમાં બંદીવાન બનેલા માછીમારોને છોડાવવા માટે સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી 30મીએપ્રિલે દીવના 4 માછીમારો સહિત કુલ 36 માછીમારોને આગામી 30મી એપ્રિલે પાકિસ્‍તાનની જેલમાંથી મુક્‍ત કરવામાં આવશે. જેમાં દીવ જિલ્લાના શ્રી સુરેશ માંડણ, શ્રી સંજય વેલજી, શ્રી જીતેશ સોમા અને શ્રી મૌલિક કાનજીનો સમાવેશ થાય છે.
જેલમાં બંદીવાન માછીમાર પરિવારોને તેમના સ્‍વજનોને આગામી 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત થઈ રહ્યા હોવાના સમાચાર મળતાં તેમના ઘર-પરિવારમાં આનંદ અને ઉત્‍સાહની લાગણી જોવા મળી હતી.

Related posts

આજે દાનહ અને દમણ-દીવના જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે બેઠક યોજાશે

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રકનું ટાયર ફાટી જતા રેલીંગ તોડી ટ્રક સામેની ટ્રેક ઉપર પલટી ખાઈ ગયો

vartmanpravah

આજથી દમણ જિલ્લાની તમામ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાંમાસ્‍ક પહેરવાનું ફરજીયાત કરાયું

vartmanpravah

દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્‍ટ્રાક્‍ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્‍ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્‍યુલર

vartmanpravah

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

Leave a Comment