December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ધરમપુર વાઘવળ ગામે શંકર ધોધ જોવા આવેલ 10 પ્રવાસીઓ ઉપર મધમાખીઓનો હુમલો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04
ચોમાસાની ઋતુમાં ધરમપુર વાઘવળ જેવા પ્રકૃતિના ખોળે વસતા વિસ્‍તારનું સૌંદર્ય ખૂબ ખીલી ઉઠતું હોય છે. વાઘવળમાં સુવિખ્‍યાત શંકર ધોધ આવેલો છે. તેથી ચોમાસામાં શંકર ધોધ નિહાળવા સેંકડો સહેલાણીઓ આવતા હોય છે. ગઈકાલે શંકર ધોધ જોવા આવેલ પ્રવાસીઓ સાથે વિચિત્ર ઘટના ઘટી હતી. 10 જેટલા પ્રવાસીઓ ઉપર મધમાખીઓએ હુમલો કર્યોહતો તેથી દોડધામ મચી ગઈ હતી.
ધરમપુર નજીક વાઘવળ ગામે પ્રકૃતિના ખોળે શંકર ધોર આવેલો છે. સહેલાણીઓ માટે શંકર ધોધ પ્રત્‍યેક ચોમાસામાં આકર્ષણનું કેન્‍દ્ર બનતો હોય છે. ગઈકાલે શંકર ધોધ જોવા કેટલાક પ્રવાસીઓ ઉપર ચઢયા હતા. બાદમાં પ્રવાસીઓ નીચે ઉતરી રહ્યા હતા ત્‍યારે અચાનક મધમાખીઓએ પ્રવાસીઓ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. તેથી નાસભાગ મચી હતી. પ્રવાસીઓને ગળામાં માથા ઉપર કાનમાં મધમાખીઓએ ડંખ માર્યા હતા. મધમાખીઓના હુમલામાં 10 જેટલા પ્રવાસી ભોગ બન્‍યા હતા. તમામને ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘાયલો પૈકી એક પ્રવાસીના કાનમાં માખી ઘૂસી ગઈ હતી. તેને સર્જને જહેમતથી બહાર કાઢી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા બે દિવસીય સંસ્કૃતિ હમારી ધરોહર કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખુલ્લી શેરીઓ, સ્‍ટોર વોટર ડ્રેનેજ અથવા કુદરતી ગટરમાં ગટરનું નિકાલ કરવું એ દંડને પાત્ર ગુનો છે : એસએમસી

vartmanpravah

વાપીઃ આજે વી.આઇ.ઍ.માં સંગીત, નૃત્ય અને નાટ્યનો જાજરમાન જલસો યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ માટે ચૂંટણી સંદર્ભે ટ્રેનિંગનું આયોજન કરાયું

vartmanpravah

વાપી ચલા બુનમેક્‍સ સ્‍કૂલમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું : 53 શાળાના બાળકોએ ભાગ લીધો

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ બદલાયેલા દાનહ અને દમણ-દીવનું પ્રતિબિંબ

vartmanpravah

Leave a Comment