Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ધરમપુર વાઘવળ ગામે શંકર ધોધ જોવા આવેલ 10 પ્રવાસીઓ ઉપર મધમાખીઓનો હુમલો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04
ચોમાસાની ઋતુમાં ધરમપુર વાઘવળ જેવા પ્રકૃતિના ખોળે વસતા વિસ્‍તારનું સૌંદર્ય ખૂબ ખીલી ઉઠતું હોય છે. વાઘવળમાં સુવિખ્‍યાત શંકર ધોધ આવેલો છે. તેથી ચોમાસામાં શંકર ધોધ નિહાળવા સેંકડો સહેલાણીઓ આવતા હોય છે. ગઈકાલે શંકર ધોધ જોવા આવેલ પ્રવાસીઓ સાથે વિચિત્ર ઘટના ઘટી હતી. 10 જેટલા પ્રવાસીઓ ઉપર મધમાખીઓએ હુમલો કર્યોહતો તેથી દોડધામ મચી ગઈ હતી.
ધરમપુર નજીક વાઘવળ ગામે પ્રકૃતિના ખોળે શંકર ધોર આવેલો છે. સહેલાણીઓ માટે શંકર ધોધ પ્રત્‍યેક ચોમાસામાં આકર્ષણનું કેન્‍દ્ર બનતો હોય છે. ગઈકાલે શંકર ધોધ જોવા કેટલાક પ્રવાસીઓ ઉપર ચઢયા હતા. બાદમાં પ્રવાસીઓ નીચે ઉતરી રહ્યા હતા ત્‍યારે અચાનક મધમાખીઓએ પ્રવાસીઓ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. તેથી નાસભાગ મચી હતી. પ્રવાસીઓને ગળામાં માથા ઉપર કાનમાં મધમાખીઓએ ડંખ માર્યા હતા. મધમાખીઓના હુમલામાં 10 જેટલા પ્રવાસી ભોગ બન્‍યા હતા. તમામને ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘાયલો પૈકી એક પ્રવાસીના કાનમાં માખી ઘૂસી ગઈ હતી. તેને સર્જને જહેમતથી બહાર કાઢી હતી.

Related posts

સંજીવની બુટ્ટી સમાન: નવસારી જિલ્લામાં 108 એમ્‍બ્‍યુલન્‍સમાં 16 વર્ષમાં 1પ10 સગર્ભા મહિલાઓને ડિલેવરી કરાવી

vartmanpravah

વાપી ચાર રસ્‍તા હાઈવેથી ચણોદ ગેટ સુધીનો રોડ ચિંથરે હાલ : સેંકડો ખાડાઓ વચ્‍ચે વાહનો રોડ શોધી રહ્યા છે

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીના પુલ પરથી આધેડે ઝંપલાવ્‍યું

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં આગનું તાંડવ યથાવત: સતત પાંચમા દિવસે આગ: મેજર કોલ જાહેર

vartmanpravah

દમણમાં ટાઉન પ્‍લાનિંગના નકશા બદલીના 1200 કરોડના કૌભાંડનો સીબીઆઈએ કરેલો પર્દાફાશ

vartmanpravah

વલસાડ અબ્રામા વિસ્‍તારની સોસાયટીમાં ઘૂસેલા છ ચોર પાડોશીઓની સતર્કતા આધિન ભાગૂ છૂટયા

vartmanpravah

Leave a Comment