April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ધરમપુર વાઘવળ ગામે શંકર ધોધ જોવા આવેલ 10 પ્રવાસીઓ ઉપર મધમાખીઓનો હુમલો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04
ચોમાસાની ઋતુમાં ધરમપુર વાઘવળ જેવા પ્રકૃતિના ખોળે વસતા વિસ્‍તારનું સૌંદર્ય ખૂબ ખીલી ઉઠતું હોય છે. વાઘવળમાં સુવિખ્‍યાત શંકર ધોધ આવેલો છે. તેથી ચોમાસામાં શંકર ધોધ નિહાળવા સેંકડો સહેલાણીઓ આવતા હોય છે. ગઈકાલે શંકર ધોધ જોવા આવેલ પ્રવાસીઓ સાથે વિચિત્ર ઘટના ઘટી હતી. 10 જેટલા પ્રવાસીઓ ઉપર મધમાખીઓએ હુમલો કર્યોહતો તેથી દોડધામ મચી ગઈ હતી.
ધરમપુર નજીક વાઘવળ ગામે પ્રકૃતિના ખોળે શંકર ધોર આવેલો છે. સહેલાણીઓ માટે શંકર ધોધ પ્રત્‍યેક ચોમાસામાં આકર્ષણનું કેન્‍દ્ર બનતો હોય છે. ગઈકાલે શંકર ધોધ જોવા કેટલાક પ્રવાસીઓ ઉપર ચઢયા હતા. બાદમાં પ્રવાસીઓ નીચે ઉતરી રહ્યા હતા ત્‍યારે અચાનક મધમાખીઓએ પ્રવાસીઓ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. તેથી નાસભાગ મચી હતી. પ્રવાસીઓને ગળામાં માથા ઉપર કાનમાં મધમાખીઓએ ડંખ માર્યા હતા. મધમાખીઓના હુમલામાં 10 જેટલા પ્રવાસી ભોગ બન્‍યા હતા. તમામને ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘાયલો પૈકી એક પ્રવાસીના કાનમાં માખી ઘૂસી ગઈ હતી. તેને સર્જને જહેમતથી બહાર કાઢી હતી.

Related posts

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

પાલિકાના ઈતિહાસમાં પહેલી વખત આજે દમણ ન.પા.ના પ્રમુખ તરીકે પારસી સમુદાયના અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે આદિવાસી સમાજના રશ્‍મિ હળપતિ બિરાજમાન થશે

vartmanpravah

દમણ લાયન્‍સ પરિવાર અને સિનિયર સિટીઝન કાઉન્‍સિલ દ્વારા ‘સિનિયર સિટીઝન ડે’ની ઉજવણી કરાશે

vartmanpravah

દમણવાડાની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં ધોરણ 1માં પ્રવેશ લઈ રહેલાં બાળકોના ભવ્‍ય સત્‍કાર સાથે વર્ગખંડમાં કરાવેલો પ્રવેશ

vartmanpravah

માનવ અધિકાર દિવસ નિમિત્તે દાનહઃ હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઉપક્રમે ટ્રાન્‍સજેન્‍ડરના અધિકારો પર એક દિવસીય વર્કશોપ યોજાયો

vartmanpravah

ચીખલીના ચીમલા ગામે જેસપોરના જમીન દલાલને માર મારી ધમકી આપનારાઓને પોલીસે વરઘોડો કાઢી હાઈવે બ્રિજ નીચે કરાવેલી ઉઠક-બેઠક

vartmanpravah

Leave a Comment