Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માને રિલીવ કરાતા તેમના વિભાગોની કરાયેલી ફાળવણી સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનો અખત્‍યાર પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ સંભાળશે

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત દાનહ અને દમણ-દીવ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડના સભ્‍ય સચિવની પણ વધારાની જવાબદારી અદા કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ સહિતની વિવિધ જવાબદારી સંભાળનારા આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માની પુડ્ડુચેરી બદલી થતાં તેમના વિભાગનો અખત્‍યાર સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદ અને નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતને સુપ્રત કરવામાં આવ્‍યો છે.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદ પાસે દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ, કાર્મિક અને પ્રશાસનિક સુધાર, મેડિકલ અને પેરા મેડિકલ એજ્‍યુકેશન તથા ઈન્‍ડસ્‍ટ્રીઝ, ટ્રેડ અને કોમર્સના સેક્રેટરીનો અખત્‍યાર રહેશે.
શ્રી વિકાસ આનંદ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલ્‍યુશનકંટ્રોલ કમિટીના ચેરમેન તરીકેની પણ જવાબદારી સંભાળશે.
સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત પાસે સામાન્‍ય વહીવટ, પ્રોટોકોલ અને જાહેર ફરિયાદ વિભાગના સચિવ સહ ડાયરેક્‍ટર અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડના સભ્‍ય સચિવ તરીકેની જવાબદારી રહેશે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દમણ એરપોર્ટ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

આજે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

જિલ્લામાં મતગણતરીના સ્‍થળે મતગણતરીમાં ખલેલ ના પહોચે તે અંગેનું જાહેરનામુ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનના પગલે પ્રશાસકશ્રીના દિશા-નિર્દેશમાં દીવ જિલ્લાને કુપોષણ મુક્‍ત બનાવવા ચલાવાઈ રહેલી વ્‍યાપક ઝુંબેશ

vartmanpravah

Leave a Comment