Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ તરીકે ગૌરવ સિંહ રાજાવતે ગ્રામજનોમાં પેદા કરેલો આત્‍મિય ભાવ

  • ફાઇલ તસવીર
    ફાઇલ તસવીર

    દાનહ અને દમણની મુખ્‍યત્‍વે આદિવાસી અને ઓબીસી સમુદાયની બહેનોને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલા અભિયાનને મળી રહેલી સફળતા

  • સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બનતી યોજનાઓમાં પણ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની લાગણીનું પડી રહેલું પ્રતિબિંબ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકે શ્રી ગૌરવ સિંહ રાજાવતે પોતાની એક આગવી પ્રતિભા ઉભી કરી છે. તેમના પ્રયાસના કારણે જ દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી વિસ્‍તારમાં મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાના પ્રયાસ સફળતાપૂર્વક શરૂ થઈ શક્‍યા છે.
શ્રી ગૌરવ સિંહ રાજાવતે ગ્રામ્‍ય વિસ્‍તારમાં જઈ બહેનો કેવી રીતે આત્‍મનિર્ભર બની શકે તે બાબતે સ્‍વયં અભ્‍યાસ પણ કર્યો છે. ગ્રામ્‍ય મહિલાઓ સાથે પલાંઠી વાળીનીચે બેસી તેમની સાથે ચર્ચા-વિચારણાં કરતા ગ્રામજનોમાં એક આત્‍મિય ભાવ પેદા કરવા તેઓ સફળ રહ્યા છે. જેના કારણે દાદરા નગર હવેલી અને દમણના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તેમની પકડ પણ મજબૂત બનવા પામી છે.
શ્રી ગૌરવ સિંહ રાજાવતે લોકોની વચ્‍ચે જઈ તેમની સમસ્‍યા સમજવા કરેલા પ્રયાસથી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બનતી યોજનાઓમાં પણ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની લાગણીનું પ્રતિબિંબ પડી રહ્યું છે.

Related posts

ચીખલીના માંડવખડક ગામે આઈટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા

vartmanpravah

ઉમરસાડી માંગેલાવડની પરણિતા બે બાળકો સાથે ગુમ

vartmanpravah

ખારીવાડી નાની દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવઃ સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગના સચિવ અસગર અલીએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

‘‘નશામુક્‍ત ભારત અભિયાન” અંતર્ગત દમણ-દાનહ પોલીસે ચલાવેલી ‘‘નો ટોબેકો” ઝુંબેશ

vartmanpravah

દાદરા નગર હવેલીના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સાંસદ કલાબેન ડેલકરે પ્રશાસકશ્રીના સલાહકારને કરેલી રજૂઆત

vartmanpravah

‘સંકલ્‍પ સપ્તાહ-2023′ અંતર્ગત સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’ની થનારી ઉજવણી

vartmanpravah

Leave a Comment