October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ તરીકે ગૌરવ સિંહ રાજાવતે ગ્રામજનોમાં પેદા કરેલો આત્‍મિય ભાવ

  • ફાઇલ તસવીર
    ફાઇલ તસવીર

    દાનહ અને દમણની મુખ્‍યત્‍વે આદિવાસી અને ઓબીસી સમુદાયની બહેનોને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલા અભિયાનને મળી રહેલી સફળતા

  • સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બનતી યોજનાઓમાં પણ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની લાગણીનું પડી રહેલું પ્રતિબિંબ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકે શ્રી ગૌરવ સિંહ રાજાવતે પોતાની એક આગવી પ્રતિભા ઉભી કરી છે. તેમના પ્રયાસના કારણે જ દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી વિસ્‍તારમાં મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાના પ્રયાસ સફળતાપૂર્વક શરૂ થઈ શક્‍યા છે.
શ્રી ગૌરવ સિંહ રાજાવતે ગ્રામ્‍ય વિસ્‍તારમાં જઈ બહેનો કેવી રીતે આત્‍મનિર્ભર બની શકે તે બાબતે સ્‍વયં અભ્‍યાસ પણ કર્યો છે. ગ્રામ્‍ય મહિલાઓ સાથે પલાંઠી વાળીનીચે બેસી તેમની સાથે ચર્ચા-વિચારણાં કરતા ગ્રામજનોમાં એક આત્‍મિય ભાવ પેદા કરવા તેઓ સફળ રહ્યા છે. જેના કારણે દાદરા નગર હવેલી અને દમણના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તેમની પકડ પણ મજબૂત બનવા પામી છે.
શ્રી ગૌરવ સિંહ રાજાવતે લોકોની વચ્‍ચે જઈ તેમની સમસ્‍યા સમજવા કરેલા પ્રયાસથી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બનતી યોજનાઓમાં પણ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની લાગણીનું પ્રતિબિંબ પડી રહ્યું છે.

Related posts

સેલવાસની બીએસએનએલ ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગવાથી સામગ્રી બળીને ખાક

vartmanpravah

દાદરાની ગ્રોવર એન્‍ડ વીલ ઈન્‍ડિયા લિ. કંપનીમાં નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

vartmanpravah

પ્રદેશમાં આયુષ્‍માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ નવા રજીસ્‍ટ્રેશન અને રિન્‍યુઅલ પ્રક્રિયા શરૂ

vartmanpravah

નલ સે જલ યોજનામાં વલસાડ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો, તકતીનું ઈ-અનાવરણ કરાયું

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે અનોખો સમુહલગ્ન સમારોહ યોજાયો : 97 જોડાઓએ સંતાનની હાજરીમાં લગ્નવિધિ કરી

vartmanpravah

Leave a Comment