January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

મોટી દમણ નજીક આવેલા પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના સ્‍થાનકનો વિસ્‍તાર નૈસર્ગિક સૌંદર્યથી રમણિય અને ફરતે ઐતિહાસિક કિલ્લાથી ભવ્‍ય ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર આવેલા કિલ્લાના હોજમાં ભર ઉનાળે પણ રહેતું પાણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
મોટી દમણની નજીક આવેલા પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના ધામ ખાતે અગામી તા.10મી એપ્રિલના રોજ રામનવમીના પર્વ નિમિત્તે હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
મોટી દમણ નજીક પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીનું ઐતિહાસિક મહત્‍વ છે. આ ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર આવેલા પાણીના હોજમાં ભરઉનાળે પણ પાણી રહે છે. આજુબાજુ આવેલા કિલ્લાના કારણે આ વિસ્‍તારના સૌંદર્યને પણ ચાર ચાંદ લાગેલા છે. ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના ચમત્‍કારથી અનેક ભક્‍તજનો પ્રભાવિત થયા હોવાથી દરવર્ષે સેંકડો ભક્‍તો આ સ્‍થળની મુલાકાતે આવે છે.

Related posts

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

કેન્‍દ્રિય રાજ્‍ય મંત્રી(આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય) કૌશલ કિશોરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા આયોજીત લાભાર્થી સંમેલન સંપન્નઃ લાભાર્થીઓને ચેક અને કિટનું કરાયેલું વિતરણ

vartmanpravah

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

હાઈવે ઓથોરીટી સામે આંદોલને વેગ પકડયો: પારનેરા હાઈવે ઉપર યુથ કોંગ્રેસે ચક્કાજામ કર્યા

vartmanpravah

‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરને ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન માટે રાષ્‍ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment