મોટી દમણ નજીક આવેલા પાલી કરમબેલીના ઈન્દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના સ્થાનકનો વિસ્તાર નૈસર્ગિક સૌંદર્યથી રમણિય અને ફરતે ઐતિહાસિક કિલ્લાથી ભવ્ય ઈન્દ્રગઢ ડુંગર ઉપર આવેલા કિલ્લાના હોજમાં ભર ઉનાળે પણ રહેતું પાણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06
મોટી દમણની નજીક આવેલા પાલી કરમબેલીના ઈન્દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના ધામ ખાતે અગામી તા.10મી એપ્રિલના રોજ રામનવમીના પર્વ નિમિત્તે હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
મોટી દમણ નજીક પાલી કરમબેલીના ઈન્દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીનું ઐતિહાસિક મહત્વ છે. આ ઈન્દ્રગઢ ડુંગર ઉપર આવેલા પાણીના હોજમાં ભરઉનાળે પણ પાણી રહે છે. આજુબાજુ આવેલા કિલ્લાના કારણે આ વિસ્તારના સૌંદર્યને પણ ચાર ચાંદ લાગેલા છે. ઈન્દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના ચમત્કારથી અનેક ભક્તજનો પ્રભાવિત થયા હોવાથી દરવર્ષે સેંકડો ભક્તો આ સ્થળની મુલાકાતે આવે છે.