January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેલવેનો અજબ ગજબનો નિયમ કરમબેલાથી વાપી પેસેન્‍જર ટ્રેનમાં એક્‍સપ્રેસ ટ્રેનનું ભાડું લાગે છે

પેસેન્‍જર ટ્રેનનું ભાડું માત્ર 10 છે પરંતુ ત્રણ પેસેન્‍જર ટ્રેનમાં રૂપિયા 30 ભાડું વસુલ કરાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: રેલવેના અમુકનિયમો તો સમજ ની બહારના હોય છે તેવુ કરમબેલા સ્‍ટેશનથી વાપી સુધીની પેસેન્‍જર ટ્રેનમાં મુસાફરી કરો તો એક્‍સપ્રેસ ટ્રેનનું ભાડું ચૂકવવું પડે છે. પેસેન્‍જર ટ્રેનનું ભાડું 10 રૂપિયા છે પણ એવી ત્રણ પેસેન્‍જર ટ્રેન છે કે તેમાં 30 રૂપિયા એટલે કે એક્‍સપ્રેસનું ભાડું ચુકવવુ પડે છે. રેલવેનો આ નિયમ મુસાફરોની સમજ બહારની છે.
મુસાફરો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ટ્રેન નં.19425 નંદુરબાર પેસેન્‍જર ટ્રેન નં.19417 અમદાવાદ પેસેન્‍જર અને ટ્રેન નં.19101 શટલ ટ્રેન આ ત્રણેય ટ્રેન દરેક સ્‍ટેશન થોભે છે અને સામાન્‍ય રીતે પેસેન્‍જર ટ્રેન માનવામાં આવે છે. પરંતુ આ ત્રણેય ટ્રેનનું ભાડું કરમબેલાથી વાપી સુધી એક્‍સપ્રેસ ટ્રેનનું ભાડું લેવાય છે. આમાં નિયમ રેલવેનો વિચિત્ર છે. મેમુ જેવી ટ્રેન જેનો નંબર શુન્‍યથી શરૂ થતો હોય તેનું ભાડું 10 રૂપિયા છે. રેલવેને બેધારી નિતિ અને નિયમથી મુસાફર જનતા પરેશાન છે. રેલવેના જણાવ્‍યા અનુસાર આ નિયમ એક વર્ષથી લાગું કરાયો છે. કેમ લાગું છે તેનો જવાબ અનુત્તર છે.

Related posts

નાની દમણના સોમનાથ ખાતે ફોર્ચુન ડી.પી.નેનો-1 યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્‍સવમાં પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની જિ.પં. સભ્‍ય રીનાબેન સાથે લીધેલો આરતીનો લ્‍હાવો

vartmanpravah

વાપી હાઈવે મોહનગામ નજીક સી.એન.જી. કારમાં ભીષણ આગ લાગી : આગમાં ચાલકનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

નવસારી વેજલપોર ખાતે મરાઠી પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા દ્વારા ચિત્રકલા સ્‍પધાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ચીખલી સમરોલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા હરિભક્તો દ્વારા દિવ્યતા અને ભવ્યતા સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

એસઆઈએની ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ : સિનિયર મેમ્‍બરોએ બિન હરીફ પરિણામ લાવવા ચાલુ કરેલા પ્રયાસ

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલમાં દીપોત્‍સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન

vartmanpravah

Leave a Comment