Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
ભારત સરકારના ગૃહ મંત્રાલયે આજે એક આદેશ જારી કર્યો છે જેમાં આઈ.પી.એસ. અધિકારી શ્રી મનોજ કુમાર લાલને પુડુચેરી રાજ્‍યના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય વહીવટી સેવા (1988 બેચ)ના આઈ.પી. એસ. અધિકારી શ્રી મનોજ કુમાર લાલને પેરેન્‍ટ કેડરમાં આવ્‍યા બાદ પુડુચેરીમાં ડીજીપી તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રામાણિક અને કર્તવ્‍યનિષ્ઠ અધિકારી તરીકેની ઓળખ ધરાવતા શ્રી મનોજ કુમાર લાલ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં એઆઈજીપી તરીકે પણ ફરજ બજાવી ચૂક્‍યા છે અને તેમના કાર્યકાળ દરમિયાનતેમણે ઘણા ભ્રષ્ટ અધિકારીઓને ગેરકાયદેસર મિલકતો અને સંપત્તિઓ જપ્ત કરી છે. ભ્રષ્ટાચારના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્‍યો હતો. શ્રી લાલના ગયા પછી, સ્‍થાનિક પોલીસ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે ભ્રષ્ટાચારના આરોપમાં એકપણ અધિકારી પકડાયો ન હતો, જ્‍યારે મુંબઈ સીબીઆઈએ આ કેસમાં ઘણાં અધિકારીઓની ધરપકડ કરી છે.

Related posts

દાનહઃ ખેરારબારીના લોકો પાણી માટે ખનકી પર નિર્ભર

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પ્રાથમિક આચાર્યનું એક નવું કારનામું શિક્ષક આઈ કાર્ડ કૌભાંડ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્‍યો સાથે બિઝનેસ નેટવર્ક ઈન્‍ટરનેશનલ (BNI) દ્વારા નવા ચેપ્‍ટર ‘‘શ્રેષ્‍ઠ”નું કરાયેલું લોન્‍ચીંગ

vartmanpravah

મહારાષ્‍ટ્રમાં યોજાનાર આદિવાસી સમાજના મહાસંમેલન અંતર્ગત ધરમપુરમાં બેઠક મળી

vartmanpravah

આજે દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment