Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
ભારત સરકારના ગૃહ મંત્રાલયે આજે એક આદેશ જારી કર્યો છે જેમાં આઈ.પી.એસ. અધિકારી શ્રી મનોજ કુમાર લાલને પુડુચેરી રાજ્‍યના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય વહીવટી સેવા (1988 બેચ)ના આઈ.પી. એસ. અધિકારી શ્રી મનોજ કુમાર લાલને પેરેન્‍ટ કેડરમાં આવ્‍યા બાદ પુડુચેરીમાં ડીજીપી તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રામાણિક અને કર્તવ્‍યનિષ્ઠ અધિકારી તરીકેની ઓળખ ધરાવતા શ્રી મનોજ કુમાર લાલ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં એઆઈજીપી તરીકે પણ ફરજ બજાવી ચૂક્‍યા છે અને તેમના કાર્યકાળ દરમિયાનતેમણે ઘણા ભ્રષ્ટ અધિકારીઓને ગેરકાયદેસર મિલકતો અને સંપત્તિઓ જપ્ત કરી છે. ભ્રષ્ટાચારના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્‍યો હતો. શ્રી લાલના ગયા પછી, સ્‍થાનિક પોલીસ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે ભ્રષ્ટાચારના આરોપમાં એકપણ અધિકારી પકડાયો ન હતો, જ્‍યારે મુંબઈ સીબીઆઈએ આ કેસમાં ઘણાં અધિકારીઓની ધરપકડ કરી છે.

Related posts

સંઘપ્રદેશમાં પહેલી વખત યોજાયો રંગોત્‍સવઃ વિદ્યાર્થીઓની કલાત્‍મક પ્રતિભા અને રચનાત્‍મકતાનો મળેલો પરિચય

vartmanpravah

‘વિશ્વ પ્રવાસન દિવસ’ નિમિત્તે દમણમાં ‘ટ્રાવેલ ફોર લાઇફ પ્રોગ્રામ’નું કરાયું લોન્‍ચિંગ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ

vartmanpravah

મહારાષ્‍ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ દમણ-દીવ ભાજપના કાર્યકરોનો પણ બુલંદ બનેલો જોમ અને જુસ્‍સો

vartmanpravah

દાનહ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા રાંધામાં ‘રાનભાજી’ મહોઉત્‍સવ ઉજવાયો

vartmanpravah

ચીખલી તાલુકાના ચીમલા ફાટક નેશનલ હાઈવે પર જીવના જોખમે હાઈવે ક્રોસ કરતા વાહન ચાલકોની લાંબા સમયની સમસ્‍યાનો અંત ક્‍યારે આવશે?

vartmanpravah

Leave a Comment