October 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
ભારત સરકારના ગૃહ મંત્રાલયે આજે એક આદેશ જારી કર્યો છે જેમાં આઈ.પી.એસ. અધિકારી શ્રી મનોજ કુમાર લાલને પુડુચેરી રાજ્‍યના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય વહીવટી સેવા (1988 બેચ)ના આઈ.પી. એસ. અધિકારી શ્રી મનોજ કુમાર લાલને પેરેન્‍ટ કેડરમાં આવ્‍યા બાદ પુડુચેરીમાં ડીજીપી તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રામાણિક અને કર્તવ્‍યનિષ્ઠ અધિકારી તરીકેની ઓળખ ધરાવતા શ્રી મનોજ કુમાર લાલ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં એઆઈજીપી તરીકે પણ ફરજ બજાવી ચૂક્‍યા છે અને તેમના કાર્યકાળ દરમિયાનતેમણે ઘણા ભ્રષ્ટ અધિકારીઓને ગેરકાયદેસર મિલકતો અને સંપત્તિઓ જપ્ત કરી છે. ભ્રષ્ટાચારના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્‍યો હતો. શ્રી લાલના ગયા પછી, સ્‍થાનિક પોલીસ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે ભ્રષ્ટાચારના આરોપમાં એકપણ અધિકારી પકડાયો ન હતો, જ્‍યારે મુંબઈ સીબીઆઈએ આ કેસમાં ઘણાં અધિકારીઓની ધરપકડ કરી છે.

Related posts

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિક શાળામાં કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023 યોજાઈ

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરના બાળકોએ જી.કે. આઈકયુ 2024 ની પરીક્ષા આપી

vartmanpravah

વાપી ફાટકે રેલવે પાટો ક્રોસ કરતા ટ્રેન અડફેટમાં બે યુવાન કપાઈ ગયા : ઘટના સ્‍થળે મોત

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

કુકેરી ગામે અજાણ્‍યા વાહન ચાલકે અડફેટે લેતા મોટર સાયકલ ચાલક નિવૃત શિક્ષકનું મોત

vartmanpravah

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

Leave a Comment