October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
ભારત સરકારના ગૃહ મંત્રાલયે આજે એક આદેશ જારી કર્યો છે જેમાં આઈ.પી.એસ. અધિકારી શ્રી મનોજ કુમાર લાલને પુડુચેરી રાજ્‍યના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય વહીવટી સેવા (1988 બેચ)ના આઈ.પી. એસ. અધિકારી શ્રી મનોજ કુમાર લાલને પેરેન્‍ટ કેડરમાં આવ્‍યા બાદ પુડુચેરીમાં ડીજીપી તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રામાણિક અને કર્તવ્‍યનિષ્ઠ અધિકારી તરીકેની ઓળખ ધરાવતા શ્રી મનોજ કુમાર લાલ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં એઆઈજીપી તરીકે પણ ફરજ બજાવી ચૂક્‍યા છે અને તેમના કાર્યકાળ દરમિયાનતેમણે ઘણા ભ્રષ્ટ અધિકારીઓને ગેરકાયદેસર મિલકતો અને સંપત્તિઓ જપ્ત કરી છે. ભ્રષ્ટાચારના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્‍યો હતો. શ્રી લાલના ગયા પછી, સ્‍થાનિક પોલીસ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે ભ્રષ્ટાચારના આરોપમાં એકપણ અધિકારી પકડાયો ન હતો, જ્‍યારે મુંબઈ સીબીઆઈએ આ કેસમાં ઘણાં અધિકારીઓની ધરપકડ કરી છે.

Related posts

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

ફરી એકવાર સંઘપ્રદેશ પ્રશાસનના પ્રયાસને મળેલું શુભફળ : પ્રદેશની ચારેય વિદ્યાર્થીનીઓ યુક્રેનથી પરત ફરી

vartmanpravah

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

કોંગ્રેસના ગઢ ઉનાઈ ખાતે ગૃહમંત્રી અમિત શાહે બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

વાપી વી.આઈ.એ. અને ઝેડ.આર.યુ.સી.સી.ની વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેનના સ્‍ટોપેજની માંગણી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લદાખના સ્‍થાપના દિવસની આનંદ ઉત્‍સાહ અને સાંસ્‍કૃતિક વિરાસતના આદાન-પ્રદાનથી કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment