(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
સેલવાસની શ્રી વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં હવે જટીલ અને જોખમભરી સર્જરી કરવામાં આવે છે જેના માટે દર્દીઓએ અગાઉ મુંબઈ અથવા સુરત મોટી હોસ્પિટલોમાં મોકલવામાં આવતા હતા. 26નવેમ્બરના રોજ હોસ્પિટલનાસ્ત્રીરોગ નિષ્ણાંત ડો.જેતલ પટેલ, ડો.સુમન શર્મા અને એનેસ્થેટિસ્ટ ડો.ચિરાગ પરમાર અને એમની ટીમ દ્વારા આવી જ એક સર્જરી જે ઘણી જજટિલ અને જોખમભરી સર્જરી હતી.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની 44 વર્ષની એક મહિલાને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલ એ મહિલાને મહાવારીમાં તકલીફ હતી અને પેટમાં સુજન હતુ. એમઆરઆઈ તપાસ કરતા એના પેટમા મોટી ગાંઠ જે લગભગ 9 મહિનાના ગર્ભાવસ્થા બરાબર હતુ. મહિલાનો જીવ બચાવવા માટે તેને કાઢવુ બહુ જ જરૂરી હતુ. એ મહિલાની ટોટલ એબ્ડોમીનલ હિસ્ટ્રેકટોમી સર્જરી કરવામાં આવી. આ મહિલાના પેટમાંથી કાઢવામાં આવેલ ફાઈબ્રોઈડનુ વજન 5.25 કિલો હતુ. સાધારણ લેપ્રોસ્કોપીથી સર્જરી સંભવ ના હોવાથી આ સર્જરી કરવામાં આવે છે. સર્જરીના ચાર દિવસ બાદ મહિલાને રજા આપવામાં આવી હતી.
આ ઉપલબ્ધી સંદર્ભે સ્વાસ્થ્ય નિર્દેશક ડો.વી.કે.દાસે ડો.જેતલ પટેલ, ડો.સુમન શર્મા અને એનેસ્થેટિસ્ટ ડો.ચિરાગ પરમાર અને ઓપરેશન થિયેટરના દરેક કર્મચારીઓને શુભકામના આપી અને એમના કામની સરાહના કરી હતી અને સાથે એમણે જણાવ્યુ કે, દાનહ સ્વાસ્થ્ય વિભાગમાં આવનાર દરેક દર્દીઓને સારી સ્વાસ્થ્ય સુવિધા મળે એના માટે હંમેશા તત્પર છે ભલે તે દર્દી બીજા રાજ્યનો કેમ ના હોય.