June 11, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.12: નવસારી જિલ્લામાં ઉપરવાસના વરસાદના કારણે નવસારી શહેરના નિચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાઈ ગયેલા હોવાથી અસરગ્રસ્‍તોનું સ્‍થળાંતર કરવામાં આવ્‍યું હતું. ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્‍તારમાં નુકશાન થયું હતું. જેના પગલે પાણી પુરવઠા રાજયમંત્રી અને નવસારીના જિલ્લા પ્રભારી જીતુભાઈ ચૌધરીએ અસરગ્રસ્‍ત સ્‍થળની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમની સાથે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં. સ્‍થળાંતરિત કરેલા શહેરીજનોને સેલ્‍ટર હોમ તથા શાળામાં આશ્રય આપ્‍યું હતું ત્‍યાં પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓને રહેવા-જમવાની વ્‍યવસ્‍થા સાથે કોઈપણ પ્રકારની અસુવિધા ઉભી ના થાય તેની કાળજી રાખવા અધિકારીઓને જણાવ્‍યું હતું.
આ મુલાકાત દરમિયાન નવસારીના ધારાસભ્‍ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ શ્રી પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, નવસારી નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, અધિક નિવાસી કલેકટર શ્રી કેતન જોષી સાથે રહ્યા હતા.

Related posts

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સામાજીક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દમણના તીન બત્તી નજીક જલારામ મંદિરના પ્રાંગણમાં મહિલાઓએ ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

વાપીઃ છરવાડા રમઝાનવાડી બિલખાડીની નહેરમાં પડી ગયેલ ગાયનું રેસ્ક્યૂ કરાયું

vartmanpravah

કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાની વિધિવત આમ આદમી પાર્ટીમાં એન્‍ટ્રી

vartmanpravah

અનાવલ ડિવિઝનના તાબામાં આવતા સારવણી નવાનગરમાં વીજ કંપનીના બેદરકારી ભર્યા વહીવટ વચ્‍ચે ટ્રાન્‍સફોર્મર ઝુલા ખાઈ રહ્યું છે

vartmanpravah

પારડી ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સામાજિક અધિકારીતા શિબિરમાં 1696 દિવ્‍યાંગોને નિઃશુલ્‍ક સહાય વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment