March 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.12: નવસારી જિલ્લામાં ઉપરવાસના વરસાદના કારણે નવસારી શહેરના નિચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાઈ ગયેલા હોવાથી અસરગ્રસ્‍તોનું સ્‍થળાંતર કરવામાં આવ્‍યું હતું. ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્‍તારમાં નુકશાન થયું હતું. જેના પગલે પાણી પુરવઠા રાજયમંત્રી અને નવસારીના જિલ્લા પ્રભારી જીતુભાઈ ચૌધરીએ અસરગ્રસ્‍ત સ્‍થળની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમની સાથે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં. સ્‍થળાંતરિત કરેલા શહેરીજનોને સેલ્‍ટર હોમ તથા શાળામાં આશ્રય આપ્‍યું હતું ત્‍યાં પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓને રહેવા-જમવાની વ્‍યવસ્‍થા સાથે કોઈપણ પ્રકારની અસુવિધા ઉભી ના થાય તેની કાળજી રાખવા અધિકારીઓને જણાવ્‍યું હતું.
આ મુલાકાત દરમિયાન નવસારીના ધારાસભ્‍ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ શ્રી પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, નવસારી નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, અધિક નિવાસી કલેકટર શ્રી કેતન જોષી સાથે રહ્યા હતા.

Related posts

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 18 કરોડના ખર્ચે તૈયાર થનાર વીજ કંપનીની સર્કલ કચેરીનું ખાતમુહૂર્ત

vartmanpravah

સંઘપ્રદેશમાં રખડતા ઢોરોના ત્રાસને દુર કરવા પ્રશાસન દ્વારા ભરાનારા ચાંપતા પગલાં

vartmanpravah

ફોરવ્‍હીલર વાહનોની GJ-15-CM સીરીઝમાં પસંદગીનો નંબર મેળવો

vartmanpravah

દાનહ ઊંડાણના ગ્રામ્‍ય વિસ્‍તારના મહેશ ગાવિતને ભાજપે ઉમેદવાર બનાવતા વિજેતા બનાવવા થનગનાટ

vartmanpravah

વલસાડ જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતો સમરસ બની

vartmanpravah

વાપીમાં દર્દીઓ, જરૂરતમંદો અને દિવ્‍યાંગ બાળકોને નિઃશૂલ્‍ક ભોજન સેવાની શરૂઆત

vartmanpravah

Leave a Comment