October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.12: નવસારી જિલ્લામાં ઉપરવાસના વરસાદના કારણે નવસારી શહેરના નિચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાઈ ગયેલા હોવાથી અસરગ્રસ્‍તોનું સ્‍થળાંતર કરવામાં આવ્‍યું હતું. ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્‍તારમાં નુકશાન થયું હતું. જેના પગલે પાણી પુરવઠા રાજયમંત્રી અને નવસારીના જિલ્લા પ્રભારી જીતુભાઈ ચૌધરીએ અસરગ્રસ્‍ત સ્‍થળની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમની સાથે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં. સ્‍થળાંતરિત કરેલા શહેરીજનોને સેલ્‍ટર હોમ તથા શાળામાં આશ્રય આપ્‍યું હતું ત્‍યાં પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓને રહેવા-જમવાની વ્‍યવસ્‍થા સાથે કોઈપણ પ્રકારની અસુવિધા ઉભી ના થાય તેની કાળજી રાખવા અધિકારીઓને જણાવ્‍યું હતું.
આ મુલાકાત દરમિયાન નવસારીના ધારાસભ્‍ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ શ્રી પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, નવસારી નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, અધિક નિવાસી કલેકટર શ્રી કેતન જોષી સાથે રહ્યા હતા.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લોરામ નવમીએ રામ મય બન્‍યો

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે દમણમાં વૃક્ષારોપણ સાથે સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્‍યક્ષ એમ. વેંકટેશને દમણ ન.પા. અને જિ.પં.ના સફાઈકર્મીઓની સ્‍થિતિ અને સમસ્‍યાની મેળવેલી જાણકારી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી 60 દિવસ માટે ‘ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈન 2.0’ની શરૂઆત

vartmanpravah

ઉમરગામની મુલાકાતે આવેલા પ્રશાંત કારૂલકરનું અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

ચીખલીના વંકાલ ગામે કાવેરી નદીના તટે આવેલ પૌરાણિક બ્રહ્મદેવ બાપાના મંદિરના ત્રીજા પાટોત્‍સવની ભક્‍તિભાવપૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment