આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્ હસ્તે તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ તથા ગુજરાતના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આઈએફએસસીએ ના ભવનનો શિલાન્યાસ અને દેશના પ્રથમ ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તથા એનએસઈ, આઈએફએસસી, એસજીએક્સ કનેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં સરકારશ્રીના મંત્રીઓએ પણ હાજરી આપી હતી.