Vartman Pravah
Breaking Newsતંત્રી લેખસેલવાસ

સેલવાસના ખાડીપાડામાં એક પરિવારમાં આંતરિક ઝઘડામાં માતા-પુત્રીની કરાયેલી નિર્મમ હત્‍યા

પુત્રીની લાશના ટૂકડા કરી વાઘછીપાથી ચિભડકચ્‍છ તરફ જતી નહેરમાં ફેંકી દીધા જ્‍યારે પત્‍નીનું મોત નિપજાવી લાશને કોથળામાં ભરી ઘરમાં રાખી મુકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : સેલવાસના ડોકમરડી ખાડીપાડા વિસ્‍તારમાં રહેતા એક પરિવારમાં થયેલા આંતરિક ઝઘડામાં માતા-પુત્રીની નિર્મમ હત્‍યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સેલવાસના ડોકમરડી ખાડીપાડા વિસ્‍તારમાં રહેતા એક પરિવારમાં આંતરિક ઝઘડામાં પતિએ એની પત્‍ની અને પુત્રીની હત્‍યા કરી પુત્રીની લાશના ટૂકડા કરી નહેરમા ફેંકી દીધી હતી અને પત્‍નીનું મોત નિપજાવી લાશને કોથળામાં ભરી ઘરમાં રાખી હોવાની સનસનાટીભરી ઘટના બની છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુરેશ મહેતા રહેવાસી ડોકમરડી ખાડીપાડા સેલવાસ. મૂળ રહેવાસી ગુજરાતના મહુવા ગામ. જેઓ એમની પત્‍ની અને બે પુત્રીઓ સાથે રહેતા હતા. સુરેશ મહેતા એમની મોટી પુત્રી અને પત્‍ની સાથે ઘરના ભાડા અંગે વારંવાર ઝઘડાઓ થતા હતા. એમની પત્‍ની ઘરમાલિક સુરેશભાઈને ભાડાના પૈસા આપતા ન હતા.
આજે સોમવારના રોજ સુરેશભાઈના ઘરમાંથી દુર્ગંધ આવતા આજુબાજુના લોકોએપોલીસને ફરિયાદ કરી હતી તેથી પોલીસની ટીમ ઘટના સ્‍થળે આવી તપાસ કરતા સુરેશભાઈએ એમની પત્‍નીએ આત્‍મહત્‍યા કરી લીધી છે એવું જણાવ્‍યું હતું. પરંતુ પોલીસને શંકા જતા કડક પૂછપરછ કરતા એમણે કબુલ્‍યુ હતું કે મારી મોટી પુત્રીની અને પત્‍નીની શનિવારના રોજ હત્‍યા કરી છે અને પુત્રીની લાશના ટૂકડા કરી વાઘછીપાથી ચિભડકચ્‍છ તરફ જતી નહેરમાં ફેંકી દીધા હતા. પોલીસની ટીમે સ્‍થળ તપાસ કરતા પુત્રીના શરીરના પગનો ભાગ મળ્‍યો હતો. જ્‍યારે બીજા અંગો નહેરમાં વહી ગયા હતા.
પોલીસે પુત્રીના પગનો ભાગ કબ્‍જે લીધો હતો અને બાદમાં ઘરમાં વધુ તપાસ કરતા સુરેશભાઈની પત્‍નીની લાશ કોથળામાં બાંધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસ ખાતસને સિવિલ હાસ્‍પિટલમાં લઈ જવામા આવી છે અને આરોપી સુરેશભાઈની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ સુરેશભાઈની નાની પુત્રી માનસિક રીતે દિવ્‍યાંગ છે. સેલવાસ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્‍ધી

vartmanpravah

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

vartmanpravah

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સમરોલીમાં તળાવની પાળે નિર્માણ કરાયેલ ‘નમો વડ વન’થી પર્યાવરણના લાભ સાથે સ્‍થાનિકોની સુવિધામાં થયેલો વધારો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર માછલીના આઈસ બોક્ષમાં સંતાડેલો રૂા.5.23 લાખનો દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

રાષ્‍ટ્રિય સેવા યોજના દાદરા નગર હવેલી અને દમણ અને દીવના સ્‍વયંસેવકોની દિલ્‍હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસ પરેડમાં થયેલી પસંદગી

vartmanpravah

Leave a Comment