April 19, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આખરે વાપી જીઆઈડીસીના ઓવરહેડ ટાવરોની લાઈન હટાવવાની કામગીરી શરૂ

થર્ડ ફેઈઝમાં લાંબા સમયથી પેન્‍ડીંગ ટાવર નં.17 થી 34 સહિત ઓવરહેડ ટાવર હટાવાશે : પુષ્‍કળ જગ્‍યા ખાલી થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
વાપી જીઆઈડીસીમાં થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં ડી.જી.વી.સી.એલ.ના તોતીંગ ઓવરહેડ ટાવરોની હારમાળા પથરાયેલી છે. ટાવર નં.17 થી 34 સુધી ટાવર તોડી પાડવાની રજૂઆત વી.આઈ.એ. દ્વારા પાછલા 10 વર્ષથી કરાતી હતી. અંતે વી.આઈ.એ.માં થોડા સમય પહેલા વી.આઈ.એ. અને ઉર્જા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે મળેલી રિવ્‍યુ બેઠકમાં લેવાયેલ નિર્ણયની અસર ગુરુવારે થઈ હતી. રોડ ઉપરના ટાવરો તોડી પાડવાની કામગીરીનો આરંભ થયો છે.
વાપી થર્ડફેઈઝમાં ડીજીવીસીએલના ટાવર નં.17 થી 34 સુધીની હારમાળા પથરાયેલી છે અને પુસ્‍કળ પ્રમાણમાં જમીન રોકાયેલી છે તેથી વી.આઈ.એ. ટાવર હટાવવાની વિનંતી અને લડત ચલાવી રહેલ. તે અંતર્ગત વી.આઈ.એ.માં નાણા-ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનીઅગ્રતામાં યોજાયેલ રિવ્‍યુ બેઠકમાં એડવાઈઝરી બોર્ડ વી.આઈ.એ. તથા સેક્રેટરી સતિષ પટેલ, યોગેસ કાબરીયા, મિલન દેસાઈ, હેમંત પટેલ અને રોહીત સોનપુરા ટીમ વી.આઈ.એ.ની રજૂઆતનો અંત આવ્‍યો છે. ગુરુવારથી થર્ડ ફેઈઝના ઓવરહેડ ટાવરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અંડર ગ્રાઉન્‍ડ કેબલીંગનું કામ અંતિમ તબક્કામાં છે તેથી ટાવરો નિરર્થક પુરવાર થવાના હતા તેથી વસાહતમાં સારી એવી જમીન ટાવરોમાં દબાણ હેઠળ હતી તે છુટી થશે અને મોકલાશ વધશે.
——

Related posts

ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં

vartmanpravah

વાપી મેરેથોનમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામનાં 23 દિવ્‍યાંગ બાળકોએ આત્‍મવિશ્વાસ અને ઉત્‍સાહ સાથે ભાગ લીધો

vartmanpravah

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

vartmanpravah

પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કરનાર સ્‍વ. વિષ્‍ણુભાઈ દમણિયાને માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ‘માહ્યાવંશી રત્‍ન’થી બિરદાવાશે

vartmanpravah

વાપીમાં એલ.આઈ.સી. એજન્‍ટોએ વિવિધ માંગણી માટે આંદોલન સાથે એક દિવસની હડતાલ

vartmanpravah

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment