April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું પ્રતિબિંબઃ સનિ ભીમરા

740 એકલવ્‍ય મોડેલ સ્‍કૂલ શરૂ કરવાની જાહેરાતથી દેશના આદિવાસી સમુદાયમાં શિક્ષણની ઉઘડનારી ભૂખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલીના યુવા નેતા અને આગેવાન ધારાશાષાી સનિ ભીમરાએ નાણાંમંત્રી શ્રીમતી નિર્મલાસીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું પ્રતિબિંબ હોવાનું જણાવ્‍યું હતું. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખર્ચમાં 66 ટકા વધારી રૂા.79 હજાર કરોડથી વધુની કરેલી ફાળવણીથી દેશના આદિવાસી, દલિત, પીડિત સહિત ઘરવિહોણાં તમામનું પોતાના ઘરનું સ્‍વપ્‍ન પૂર્ણ થશે એવી લાગણી દર્શાવી હતી. તેમણે અગામી 3 વર્ષમાં આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપતા 740 એકલવ્‍ય મોડેલ સ્‍કૂલ શરૂ કરવાની કરેલી જાહેરાતથી દેશના આદિવાસી સમુદાયમાં શિક્ષણની ભૂખ ઉઘડશે. જેના કારણે 2047 સુધી ભારતને વિશ્વની મહાસત્તા બનતા કોઈ રોકી નહીં શકશે એવો વિશ્વાસ પણ વ્‍યક્‍ત કર્યો હતો.
શ્રી સનિ ભીમરાએ મહિલાઓ, યુવાનો તથા આદિવાસી શોષિત, દલિત, પીડિત, તમામ વર્ગો માટે નવી દિશા આપનારૂં બજેટ ગણાવ્‍યું છે.

Related posts

ચીખલીના સમગ્ર જૈન સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

રાષ્‍ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સેલવાસ સરકિટ હાઉસમાં ‘ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ’ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઘોઘલાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સંપૂર્ણ રસીકરણ/ઓરિ-રુબેલા નાબુદી વિષય પર યોજાયેલી કાર્યશાળા

vartmanpravah

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને વિધાનસભા સામાન્‍ય ચૂંટણી- ૨૦૨૨ ના નોડલ ઓફિસરોની બેઠક યોજાઇ

vartmanpravah

બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ દ્વારા શ્રી ગણેશજીનું કરાયેલું સ્‍થાપન

vartmanpravah

Leave a Comment