December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12
ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આજરોજ રાજકીય આગેવાન શ્રી કપિલભાઈ જાદવની આગેવાની હેઠળ તિરંગા યાત્રાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજિત રેલીનો પ્રારંભ સવારના 11:00 કલાકે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ શાળાના પટાંગણમાંથી કરવામાં આવ્‍યો હતો. અને ગુરુદેવ નગર ખાતે યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભીલડવાસીઓ મોટી સંખ્‍યામાં જોડાઈને દેશભક્‍તિનુ પ્રતિબિંબ રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના સંત શ્રી સ્‍વરૂપદાસજી, ધારાસભ્‍ય શ્રીરમણભાઈ પાટકર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા, ભિલાડ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી વૈશાલીબેન જાદવ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી ભરતભાઈ જાદવ, આગેવાન શ્રી રામદાસ વરઠા, શ્રી પિયુષભાઈ શાહ, જૈન સોશિયલ ગ્રુપના અગ્રણી શ્રી નીતિનભાઈ રાણાવત, મુસ્‍લિમ સમાજના આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ સહિત મોટી સંખ્‍યામાં હાજરી જોવા મળી હતી.

Related posts

વાપી વિસ્‍તારમાં પોલીસે વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવી સ્‍કૂલ વાહનોને પણ આવરી લેવાની માંગ

vartmanpravah

ચીખલી પોલીસે કાચના સ્‍ક્રેપની આડમાં લઈ જવાતા 9 લાખથી વધુના વિદેશી દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ‘યુવા દેશ યુવા ભારત’ ભારતનું સપનું પણ યુવા છે અને મન પણ યુવા છે…

vartmanpravah

આજે દમણમાં રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્‌ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર પ્રશાંતસાગરજી મહારાજ આદિ પૂજ્‍યોની પાવન પધરામણી અવસરે ભવ્‍ય સામૈયું યોજાશે

vartmanpravah

વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્‍ટેનર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર વાપીના દંપતિનું બાઈક ખાડામાં પટકાયું હતું : સારવારમાં પત્‍નીએ દમ તોડયો

vartmanpravah

Leave a Comment