Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12
ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આજરોજ રાજકીય આગેવાન શ્રી કપિલભાઈ જાદવની આગેવાની હેઠળ તિરંગા યાત્રાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજિત રેલીનો પ્રારંભ સવારના 11:00 કલાકે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ શાળાના પટાંગણમાંથી કરવામાં આવ્‍યો હતો. અને ગુરુદેવ નગર ખાતે યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભીલડવાસીઓ મોટી સંખ્‍યામાં જોડાઈને દેશભક્‍તિનુ પ્રતિબિંબ રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના સંત શ્રી સ્‍વરૂપદાસજી, ધારાસભ્‍ય શ્રીરમણભાઈ પાટકર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા, ભિલાડ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી વૈશાલીબેન જાદવ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી ભરતભાઈ જાદવ, આગેવાન શ્રી રામદાસ વરઠા, શ્રી પિયુષભાઈ શાહ, જૈન સોશિયલ ગ્રુપના અગ્રણી શ્રી નીતિનભાઈ રાણાવત, મુસ્‍લિમ સમાજના આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ સહિત મોટી સંખ્‍યામાં હાજરી જોવા મળી હતી.

Related posts

વાપીમાં સમસ્‍ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્‍છામીદુકડમ્‌ પાઠવ્‍યા

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા તિરîગા યાત્રા યોજાઈ

vartmanpravah

ચીખલી પોલીસ મથકના એક વિવાદિત પોલીસ કોસ્‍ટેબલથી ત્રસ્‍ત દારૂની હેરાફેરી કરતી મહિલાએ કોન્‍સ્‍ટેબલની સામે ઉચ્‍ચકક્ષાએ ફરિયાદ કરી

vartmanpravah

વાપી ગુંજનમાં ઊંડી ગટરમાં ફસાઈ ગયેલ શ્વાન બચ્‍ચાને રેસ્‍કયુ કરી ઉગારાયું

vartmanpravah

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah

પારડીમાં ઠેર ઠેર હોલીકા દહનની ઉજવણી: પર્યાવરણને ધ્‍યાનમાં લઈ વૈદિક હોળી પ્રગટાવાઈ

vartmanpravah

Leave a Comment