April 19, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંસદની જળ સંસાધન સંબંધિત સ્‍ટેન્‍ડિંગ કમિટિના સાંસદોએ દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘરની લીધેલી મુલાકાત

  • સંસદની જળ સંસાધન સ્‍થાયી સમિતિના અધ્‍યક્ષ હસમુખભાઈ સોમાભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને 9 સાંસદોની રહેલી ઉપસ્‍થિતિ

  • નંદઘર અને ગ્રામ પંચાયતના કાર્યાલય અને કામકાજથી પ્રભાવિત બનેલા સાંસદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: આજે સંસદની ડિપાર્ટમેન્‍ટલી રિલેટેડ સ્‍ટેન્‍ડીંગ કમિટી અંતર્ગત જળ સંસાધન સમિતિના સભ્‍યોએ દમણવાડા ગ્રામ પંચાયત અને દમણવાડા ખાતેના નંદ ઘરની મુલાકાત લીધી હતી.
જળ સંસાધન સંસદીય સ્‍થાયી સમિતિનું નેતૃત્‍વ અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ સોમાભાઈ પટેલે કર્યું હતું. તેમની સાથે સાંસદ શ્રી પી. રવિન્‍દ્રનાથ, સાંસદ શ્રી એમ. ધનુષ કુમાર, સાંસદ શ્રી માધવ ગોરંતલા કુર્વા, સાંસદ શ્રી શિવકુમાર સી. ઉદાસી, સાંસદ શ્રી અરૂણસિંહ, સાંસદ શ્રી ચંદનસિંહ વગેરે સાથે સંસદીય સમિતિનાઅધિકારીઓ, દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
સાંસદોના જૂથે નંદઘરની ખૂબ જ પ્રશંસા કરી હતી અને નંદઘરમાં બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓને આપવામાં આવતા આહારની સુવિધા બાબતમાં પણ જાણકારી મેળવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયની મુલાકાતથી પણ સાંસદોનું જૂથ ખૂબ જ પ્રભાવિત થયું હતું અને સરપંચશ્રી મુકેશ ગોસાવી સાથે જરૂરી ચર્ચા-વિચારણા પણ કરી હતી.

Related posts

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પારડીના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકો કરીરહ્યા છે હાલાકીનો સામનો

vartmanpravah

સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની અફવાની વિગતો બહાર આવી

vartmanpravah

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળી: આદિજાતિ વિસ્‍તારમાં કુલ 728 કામો માટે કુલ રૂા.3203.18 લાખની જોગવાઈને મંજૂરી

vartmanpravah

નરોલીના હવેલી ફળિયામાં બંધ બંગલામાં થયેલી ચોરી

vartmanpravah

દમણ કોળી પટેલ સમાજના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાશેઃ સમાજની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

Leave a Comment