Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના પરીયા ગામમાં દિવાળીમાં લક્ષ્મીની ધનવર્ષા થઈ

એક્‍સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં 198 જેટલા જમીન માલિકોને 250 કરોડ ઉપરાંત રૂપિયા મળ્‍યા!

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ જિલ્લામાં કેન્‍દ્ર સરકારના મહત્ત્વના બેપ્રોજેક્‍ટ થકી એક્‍સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનમાં જે ખેડૂતોની જમીનો સરકાર દ્વારા સંપાદન થઈ છે તેવા ખેડૂતો માલામાલ કરોડપતિ બની ગયા છે. ખાસ કરીને વાપી નજીક આવેલ પરિયા ગામમાં આ દિવાળીએ લક્ષ્મીજીની ધનવર્ષા થઈ છે. ગામમાં એક્‍સપ્રેસ હાઈવે અને બુલેટ પ્રોજેક્‍ટમાં 198 જેટલા ખેડૂતોની જમીન સંપાદન થઈ છે તેવા ખેડૂતોને બન્ને પ્રોજેક્‍ટનું 250 ઉપરાંત કરોડનું વળતર મળ્‍યું છે. ગામ આખાની ધનવર્ષાથી રોનક ફરી ગઈ અને સમૃધ્‍ધ ગામ બની ચૂક્‍યુ છે.
વલસાડ-નવસારી જિલ્લાના ખેડૂતોની જમીન એક્‍સપ્રેસ હાઈવે એટલે કે વડોદરાથી મુંબઈને જોડતો પ્રોજેક્‍ટ પુરઝડપે આગળ વધી રહ્યો છે તેની સમાંતર બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ હાલમાં કાર્યરત છે. પ્રોજેક્‍ટોની જાહેરાત થતા જ ખેડૂતોએ જમીન સંપાદન અંગે ઘણી આનાકાની અને વિરોધ કર્યો હતો પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની સંપાદિત થયેલી જમીનો પેટે બજાર કિંમત કરતા બે થી પાંચ ઘણું વળતર આપવાનું શરૂ કરાતા એક પછી એક ખેડૂતોએ જમીન સંપાદનમાં સહકારી થતા ગયા. આજે તેનુ ઉત્તમ ઉદાહરણ વાપી નજીકનું પરીયા ગામ બની ચૂક્‍યું છે. પરીયા ગામની વસ્‍તી 7 હજાર છે તે પૈકી પ્રોજેક્‍ટોમાં 468425 ચોરસ મીટર જમીન સંપાદન થઈ છે. જેમની જમીન સંપાદન થઈ છે તેની દિવાળી સુધરી ગઈ છે અને ધનકુબેરો બની ગયા છે.કારણ કે પરીયા ગામમાં 250 ઉપરાંત કરોડનું જમીન માલિકોને વળતર મળ્‍યુ છે. ગામમાં 50 ઉપરાંત નવી નક્કોર મોંઘી કારો દોડતી થઈ ચૂકી છે.

Related posts

વલસાડ, વાપી, પારડીમાં સૃષ્‍ટિનો સર્જનહાર જગન્નાથ રથમાં સવાર થઈ શહેરની શેરીઓની પરિક્રમાએ

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે મુથ્‍થુ ગેંગના બે આરોપીને ઝડપી પાડયા

vartmanpravah

‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’

vartmanpravah

સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન કરાતા ક્‍વોરી એસોસિએશને હડતાળનું શસ્ત્ર ઉગામતા ચીખલી સહિત નવસારી જિલ્લામાં બ્‍લેક ટ્રેપ ખનીજની 149 જેટલી લીઝ અને 70થી વધુ ક્રસર પ્‍લાન્‍ટો બંધ

vartmanpravah

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલીમાં રેશનકાર્ડમાં અનાજ બંધ કરી દેવાતા લોકોમાં નારાજગી

vartmanpravah

Leave a Comment