January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

ફોરેસ્‍ટ વિભાગ અનેએન.જી.ઓ.ના યુવાનોએ પ્રેરક ફરજ અદા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી દમણગંગા નદી કિનારે અઢી દિવસીય શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે ત્‍યારે પર્યાવરણની જાળવણી મામ માટે સાથે સાથે પ્રેરક કામગીરી પણ થઈ હતી. નદી કિનારે વિસર્જન કરવા આવતા મંડળોના ભાવિકોને ફોરેસ્‍ટ વિભાગ અને એનજીઓ દ્વારા 300 ઉપરાંત છોડવાનું વિતરણ કરવામાં આવ્‍યું છે.
ગણેશ ઉત્‍સવની ઉજવણીમાં હવે પર્યાવરણ વિષયક થીમ અને આયોજનો વિવિધ પંડાલના ગણેશ મંડળો દ્વારા અપનાવાઈ રહ્યો છે. ઈકો ફ્રેન્‍ડલી બાપ્‍પાની મૂર્તિઓની સ્‍થાપનાનું આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે. ધર્મ સાથે પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશ વર્તમાન ગણેશ મહોત્‍સવમાં જોવા મળી રહ્યો છે. વાપી દમણગંગા નદી કિનારે ગણેશજીની મુર્તિઓ વિસર્જન કરવા ભક્‍તો આવે છે ત્‍યારે તેમને છોડ અર્પણ કરવામાં આવ્‍યા હતા. જાગૃત યુવાનો અને એન.જી.ઓ. દ્વારા છોડ અર્પણ કરવાની પ્રેરક કામગીરી કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાઈ રહ્યો છે.

Related posts

રાજ્‍ય કક્ષાના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના બીજા વર્ષના બી. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ અને પીપરિયા, સેલવાસ ખાતે આવેલી સન ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીસ લિમિટેડ કંપનીમાં બે દિવસ માટે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

નગરના લોકોના રક્ષણની જવાબદારી ઉઠાવતી પારડી પાલિકા

vartmanpravah

ધી લેડી વિલ્‍સન મ્‍યુઝિયમ ધરમપુર ખાતે વિશ્વ મહાસાગરો દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

મચ્‍છી વિક્રેતાઓના ધંધામાં પણ થઈ રહેલો વધારો: વાપીથી સુરત વચ્‍ચેની દક્ષિણ ગુજરાતની એકમાત્ર ભવ્‍ય અને અદ્યતન મચ્‍છી માર્કેટ એટલે દમણની મચ્‍છી માર્કેટઃ પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment