March 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

ફોરેસ્‍ટ વિભાગ અનેએન.જી.ઓ.ના યુવાનોએ પ્રેરક ફરજ અદા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી દમણગંગા નદી કિનારે અઢી દિવસીય શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે ત્‍યારે પર્યાવરણની જાળવણી મામ માટે સાથે સાથે પ્રેરક કામગીરી પણ થઈ હતી. નદી કિનારે વિસર્જન કરવા આવતા મંડળોના ભાવિકોને ફોરેસ્‍ટ વિભાગ અને એનજીઓ દ્વારા 300 ઉપરાંત છોડવાનું વિતરણ કરવામાં આવ્‍યું છે.
ગણેશ ઉત્‍સવની ઉજવણીમાં હવે પર્યાવરણ વિષયક થીમ અને આયોજનો વિવિધ પંડાલના ગણેશ મંડળો દ્વારા અપનાવાઈ રહ્યો છે. ઈકો ફ્રેન્‍ડલી બાપ્‍પાની મૂર્તિઓની સ્‍થાપનાનું આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે. ધર્મ સાથે પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશ વર્તમાન ગણેશ મહોત્‍સવમાં જોવા મળી રહ્યો છે. વાપી દમણગંગા નદી કિનારે ગણેશજીની મુર્તિઓ વિસર્જન કરવા ભક્‍તો આવે છે ત્‍યારે તેમને છોડ અર્પણ કરવામાં આવ્‍યા હતા. જાગૃત યુવાનો અને એન.જી.ઓ. દ્વારા છોડ અર્પણ કરવાની પ્રેરક કામગીરી કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાઈ રહ્યો છે.

Related posts

વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા ધોધડકુવા ગામે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીનું આયોજન

vartmanpravah

…અને પ્રશાસકશ્રીએ દમણના વેઈટ એન્‍ડ મેઝરમેન્‍ટ વિભાગના સંબંધિત અધિકારી-કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિજાતિ યુવક-યુવતીઓ માટે તાલુકાકક્ષાની વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

vartmanpravah

વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્‍ટ તરફ થી 45 ટકાના રાહત દરે નોટબુક વિતરણ કરાશે

vartmanpravah

તિઘરામાં પારડી પોલીસની રેઈડ: પાંચ જુગારીયાઓ રૂા.67510 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપ્‍યા

vartmanpravah

શ્રી સરદાર પટેલ યુવા મંડળ વાપી દ્વારા નૂતન નગરમાં બનાવેલ ગાર્ડનનું નામકરણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવા બાબતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment