Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

ફોરેસ્‍ટ વિભાગ અનેએન.જી.ઓ.ના યુવાનોએ પ્રેરક ફરજ અદા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી દમણગંગા નદી કિનારે અઢી દિવસીય શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે ત્‍યારે પર્યાવરણની જાળવણી મામ માટે સાથે સાથે પ્રેરક કામગીરી પણ થઈ હતી. નદી કિનારે વિસર્જન કરવા આવતા મંડળોના ભાવિકોને ફોરેસ્‍ટ વિભાગ અને એનજીઓ દ્વારા 300 ઉપરાંત છોડવાનું વિતરણ કરવામાં આવ્‍યું છે.
ગણેશ ઉત્‍સવની ઉજવણીમાં હવે પર્યાવરણ વિષયક થીમ અને આયોજનો વિવિધ પંડાલના ગણેશ મંડળો દ્વારા અપનાવાઈ રહ્યો છે. ઈકો ફ્રેન્‍ડલી બાપ્‍પાની મૂર્તિઓની સ્‍થાપનાનું આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે. ધર્મ સાથે પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશ વર્તમાન ગણેશ મહોત્‍સવમાં જોવા મળી રહ્યો છે. વાપી દમણગંગા નદી કિનારે ગણેશજીની મુર્તિઓ વિસર્જન કરવા ભક્‍તો આવે છે ત્‍યારે તેમને છોડ અર્પણ કરવામાં આવ્‍યા હતા. જાગૃત યુવાનો અને એન.જી.ઓ. દ્વારા છોડ અર્પણ કરવાની પ્રેરક કામગીરી કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાઈ રહ્યો છે.

Related posts

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

ઉમરગામ તાલુકાના સંજાણ અને દહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર મળ્યું

vartmanpravah

ઉમરગામ પાલિકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી આવનારો અંત

vartmanpravah

ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સેલવાસ ખાતેની દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણમુક્‍ત કરવાનો કરેલો સંકલ્‍પ

vartmanpravah

વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્‍ય માટે ઉમેદવારોની પડાપડી

vartmanpravah

Leave a Comment