April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

સંઘપ્રદેશના પ્રશાસકે દાનહ જિ.પં.ના કાર્યાલયમાં રાખવા માટે પોતાના કાર્યાલયમાં રહેલી શામળાજીની પ્રતિમા ભેટ આપી સભ્‍યોને ભગવાન શ્રીકૃષ્‍ણની માફક અન્‍યાય અત્‍યાચાર અને પરિવારવાદ સામે સખત લડાઈ લડવાનો આપેલો માર્મિક સંદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15: દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિલ્લા પંચાયતના 15 અને નગરપાલિકાના સભ્‍યોએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
દાદરા નગર હવેલીના પરિવારવાદની રાજનીતિમાંથી આઝાદ થયેલા જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના સભ્‍યો હવે સ્‍વતંત્ર બની વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભાજપના સભ્‍ય બનવાના રોમાંચ સાથે આજે પ્રદેશના પ્રશાસકની મુલાકાત લીધી હતી. જેમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે અંગત રસ લેવા તમામ સભ્‍યોને અનુરોધ કર્યો હતો અને પ્રશાસનનો અભિગમ હંમેશા લોકાભિમુખ અને છેવાડેના લોકોના વિકાસનો હોવાનું જણાવ્‍યુંહતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જિલ્લા પંચાયત કાર્યાલયમાં રાખવા માટે પોતાના કાર્યાલયમાં રહેલી ભગવાન શામળાજીની પ્રતિમા ભેટ આપી ભગવાન શ્રી કૃષ્‍ણની જેમ અન્‍યાય અત્‍યાચાર અને પરિવારવાદ સામે સખત લડાઈ આપવાનો પણ સંદેશ આપ્‍યો હતો.

Related posts

સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્‍ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર : પાછળથી પિતાએ પુત્રીને ઊંચકી લીધી અને ઘટના ટળી

vartmanpravah

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

vartmanpravah

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

vartmanpravah

આજે બામટી ખાતે કોમ્‍યુનીટી હોલ અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

“આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ”ની સિદ્ધિ દાનહ અને દમણ-દીવના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ વર્ષે M.B.B.S. ડૉક્‍ટર બની ચુક્‍યા છે

vartmanpravah

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

Leave a Comment