April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણના સંઘપ્રદેશના ત્રિ-દિવસીય પ્રવાસનો આરંભ

બુથના સશક્‍તિકરણ ઉપર કાર્યકરોને આપેલું માર્ગદર્શનઃ જિલ્લા પદાધિકારીઓ અને મંડળના પ્રમુખો સાથે પણ કરેલી સીધી વાતચીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: દાદરા નગર હવેલી અને દમણ દીવના ત્રિ- દિવસીય પ્રવાસે આવેલ કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા દાનહ લોકસભા વિસ્‍તારના જિલ્લા પદાધિકારી અને મંડળ અધ્‍યક્ષ સાથે અટલ ભવન, સેલવાસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બુથને સશક્‍તિકરણના વિષય પર માર્ગદર્શન અને જરૂરી દિશા-નિર્દેશ આપ્‍યા હતા. આ અવસરે કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સાથે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ જિ.પં. પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણના પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી બી.એમ.માછી સહિત બુથ લેવલના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વિકાસના વિશ્વાસ સાથે સંપન્ન થઈ આટિયાવાડ ગ્રામ પંચાયતની ગ્રામસભા

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 16મી ફેબ્રુઆરીના શુક્રવારે સેલવાસ ખાતે વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપ વિતરણ સમારંભનું આયોજન

vartmanpravah

ઈનરવ્‍હિલ ક્‍લબ ઓફ વાપીની ડિસ્‍ટ્રીક્‍ટ ચેરમેન ડો. તેજલબેન દેસાઈએ મુલાકાત લીધી

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણઅભિયાને પકડેલી પ્રચંડ ગતિ

vartmanpravah

ચીખલીમાં હવામાન વિભાગની કચેરી લોલમલોલ સાથે સરકારી કેમ્‍પસ જંગલમાં તબદીલ થતાં ‘‘સ્‍વચ્‍છતા મિશન”ના ઉડી રહેલા લીરેલીરા

vartmanpravah

Leave a Comment