બુથના સશક્તિકરણ ઉપર કાર્યકરોને આપેલું માર્ગદર્શનઃ જિલ્લા પદાધિકારીઓ અને મંડળના પ્રમુખો સાથે પણ કરેલી સીધી વાતચીત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: દાદરા નગર હવેલી અને દમણ દીવના ત્રિ- દિવસીય પ્રવાસે આવેલ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા દાનહ લોકસભા વિસ્તારના જિલ્લા પદાધિકારી અને મંડળ અધ્યક્ષ સાથે અટલ ભવન, સેલવાસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બુથને સશક્તિકરણના વિષય પર માર્ગદર્શન અને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. આ અવસરે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સાથે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ જિ.પં. પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણના પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી બી.એમ.માછી સહિત બુથ લેવલના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.