April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

સંઘપ્રદેશના પ્રશાસકે દાનહ જિ.પં.ના કાર્યાલયમાં રાખવા માટે પોતાના કાર્યાલયમાં રહેલી શામળાજીની પ્રતિમા ભેટ આપી સભ્‍યોને ભગવાન શ્રીકૃષ્‍ણની માફક અન્‍યાય અત્‍યાચાર અને પરિવારવાદ સામે સખત લડાઈ લડવાનો આપેલો માર્મિક સંદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15: દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિલ્લા પંચાયતના 15 અને નગરપાલિકાના સભ્‍યોએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
દાદરા નગર હવેલીના પરિવારવાદની રાજનીતિમાંથી આઝાદ થયેલા જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના સભ્‍યો હવે સ્‍વતંત્ર બની વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભાજપના સભ્‍ય બનવાના રોમાંચ સાથે આજે પ્રદેશના પ્રશાસકની મુલાકાત લીધી હતી. જેમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે અંગત રસ લેવા તમામ સભ્‍યોને અનુરોધ કર્યો હતો અને પ્રશાસનનો અભિગમ હંમેશા લોકાભિમુખ અને છેવાડેના લોકોના વિકાસનો હોવાનું જણાવ્‍યુંહતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જિલ્લા પંચાયત કાર્યાલયમાં રાખવા માટે પોતાના કાર્યાલયમાં રહેલી ભગવાન શામળાજીની પ્રતિમા ભેટ આપી ભગવાન શ્રી કૃષ્‍ણની જેમ અન્‍યાય અત્‍યાચાર અને પરિવારવાદ સામે સખત લડાઈ આપવાનો પણ સંદેશ આપ્‍યો હતો.

Related posts

પારડી પાર નદી નજીક કારમાં વલસાડની જાણીતી ગાયક વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર દાનહ સહિતની ખાલી પડેલી લોકસભાની બેઠકોની પેટા ચૂંટણી હવે જાન્યુ./ફેબ્રુ. સુધી લંબાવાની સંભાવના

vartmanpravah

1લી જુલાઈએ શતરંજ ઓલમ્‍પિયાડની મશાલ રીલે દમણ પહોંચશેઃસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે થનારૂં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

કરમબેલીમાં સ્‍કેપના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા, સરકારે રૂ. ૨૮.૬૪ કરોડની નોંધણી ફી કરી માફ

vartmanpravah

મોટી દમણ-પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરના પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી સંપન્ન

vartmanpravah

Leave a Comment