Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દમણના યુવા નેતા તનોજ પટેલે રસ્‍તે રઝળતા ગૌવંશના પ્રશ્નને ઉકેલવા બતાવેલો નવતર પ્રયોગ

  • દમણના વિવિધ મુખ્‍ય માર્ગો ઉપર ગઈકાલે રાત્રિ ભ્રમણ કરી ગૌવંશની કરેલી મોજણીઃ કુલ 956 જેટલા ગાય, બળદ અને વાછરડાં મળેલા રસ્‍તે રઝળતા

    પ્રદેશના સર્વ હિંદુ સમાજ ગૌરક્ષા મંચ વગેરેએ એક મંચ ઉપર આવી સરકારનો સાથ લઈને વિવિધ ગામડાંઓમાં જ્‍યાં સરકારી જગ્‍યા ઉપલબ્‍ધ છે ત્‍યાં અબોલ પશુઓની માવજત માટે પ્રાથમિક સુવિધા ઉપલબ્‍ધ કરાવી નાની વાંકડ ખાતે નિર્મિત કેટલ શેડમાં મોકલવાનો યુવા નેતા તનોજ પટેલે રજૂ કરેલો પ્રસ્‍તાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: દમણના યુવા નેતા શ્રી તનોજ પટેલ અને તેમના સાથીઓએ ગઈકાલ તા.19મી સપ્‍ટેમ્‍બરના સોમવારના રોજ દમણના મુખ્‍ય માર્ગો ઉપર ફરી ત્‍યાં વિવિધ જગ્‍યાએ ભટકતી ગાય, બળદ અને વાછરડાંઓની મોજણીનો નવતર કાર્યક્રમ કર્યો હતો. જેમાં દમણ ખાતે 956 જેટલા ગાય, બળદ અને વાછરડાં રસ્‍તે રઝળતા મળ્‍યા હતા. જેમાંના ઘણાં કૂડો-કચરો અને પ્‍લાસ્‍ટિક ખાતા પણ નજરે પડયા હતા. કેટલાકના પગમાં ઈજા થયેલ હોવાનું પણ જણાયું હતું.
રસ્‍તા ઉપર રઝળતા ગૌવંશના કારણે અકસ્‍માતોની સંખ્‍યા પણ વધી રહી છે અને ગૌવંશને હડકાયા કૂતરાં કરડવાની પણ અનેક ઘટનાઓ પ્રકાશમાંઆવી છે. તેથી યુવા નેતા શ્રી તનોજ પટેલે પ્રદેશના સર્વ હિંદુ સમાજ ગૌરક્ષા મંચ વગેરેએ તમામ એક મંચ ઉપર આવી સરકારનો સાથ લઈને વિવિધ ગામડાંઓમાં જ્‍યાં સરકારી જગ્‍યા ઉપલબ્‍ધ છે ત્‍યાં અબોલ પશુઓની માવજત માટે પ્રાથમિક સુવિધા ઉપલબ્‍ધ કરાવવાનો અભિપ્રાય શ્રી તનોજ પટેલે વ્‍યક્‍ત કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, સમગ્ર દેશ સહિત દમણમાં પણ અબોલ પશુઓની સેવા માટે દાતાઓની કમી નથી. તેથી શ્રી તનોજ પટેલે પહેલ કરી પ્રાથમિક સારવાર દરમિયાન ગૌવંશની તંદુરસ્‍તી અકબંધ થયા બાદ વાંકડ ખાતે નવનિર્મિત પશુ ગૃહમાં મોકલવાનો પ્રસ્‍તાવ પણ રજૂ કર્યો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તિરુપતિમાં માઁ પદ્માવતી દેવીના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

vartmanpravah

વલસાડ – કાંપરી રેલવેફાટક 29મી નવે.થી 05 ડિસે. 2021 સુધી સરકારના પગલે બંધ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંકનું ઉઘડેલું ભાગ્‍યઃ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂા.3.70 કરોડનો રળેલો નફો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન

vartmanpravah

નાની દમણના મિટનાવાડ રામ મંદિર ખાતે 8મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

vartmanpravah

Leave a Comment