August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં વિજ્‍યા દશમી પર્વએ રાવણના પુતળાનું કરાયેલું દહન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.05
આસુરી શક્‍તિ પર દૈવી શક્‍તિનો વિજય, ધર્મનો અધર્મ પર વિજયનુંમહા પર્વ એટલે વિજ્‍યા દશમી. સતત નવ નવ દિવસ સુધી ભારે ભક્‍તિભાવ અને હોંશભેર માઁ જગદંબાની આરાધના કર્યા બાદ આજે વલસાડમાં વિજ્‍યા દશમીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તીથલ રોડ સ્‍થિત ડી.ડી.ઓ. બંગલા પાછળ આવેલા ‘લેન્‍ડમાર્ક રેસિડેન્‍સી’ ખાતે આજે સાંજે રાવણના પુતળા દહનના કાર્યક્રમનું અનેરું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં યુવાનો વડીલો ઉત્‍સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે નાના નાના બાળકોને રાવણના ગુણો અને અવગુણો વિશે માહિતગાર કરાયા હતા, જોકે જિલ્લામાં પહેલા થતા મોટા રાવણ દાહનના કાર્યક્રમો આજે નહિવત જોવા મળ્‍યા હતા.

Related posts

બુધવારે દમણ અને સેલવાસમાં હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-પ્રદર્શનનું આયોજન

vartmanpravah

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા લોક સહયોગ જરૂરી

vartmanpravah

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનની પશ્ચિમ રેલવે ડિવિઝન પોલીસ વડા સરોજકુમારીએ મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ વિભાગ એસટી કર્મચારી મંડળની સમાન્‍યસભા આંબેડકર હોલમાં યોજાઈ

vartmanpravah

Leave a Comment