Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં વિજ્‍યા દશમી પર્વએ રાવણના પુતળાનું કરાયેલું દહન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.05
આસુરી શક્‍તિ પર દૈવી શક્‍તિનો વિજય, ધર્મનો અધર્મ પર વિજયનુંમહા પર્વ એટલે વિજ્‍યા દશમી. સતત નવ નવ દિવસ સુધી ભારે ભક્‍તિભાવ અને હોંશભેર માઁ જગદંબાની આરાધના કર્યા બાદ આજે વલસાડમાં વિજ્‍યા દશમીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તીથલ રોડ સ્‍થિત ડી.ડી.ઓ. બંગલા પાછળ આવેલા ‘લેન્‍ડમાર્ક રેસિડેન્‍સી’ ખાતે આજે સાંજે રાવણના પુતળા દહનના કાર્યક્રમનું અનેરું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં યુવાનો વડીલો ઉત્‍સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે નાના નાના બાળકોને રાવણના ગુણો અને અવગુણો વિશે માહિતગાર કરાયા હતા, જોકે જિલ્લામાં પહેલા થતા મોટા રાવણ દાહનના કાર્યક્રમો આજે નહિવત જોવા મળ્‍યા હતા.

Related posts

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે દમણ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્‍ટેડ અને ખાનગી શાળાઓમાં આજે રજા રહેશે

vartmanpravah

હેડગેવાર ભવન મણિનગર ખાતે સામાજિક સંગઠનની મળેલી વાર્ષિક સભા

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ઠેર ઠેર પાણી

vartmanpravah

વલસાડમાં રવિવારી બજારો બંધ કરાવવા જતાં નાના વેપારીઓ અને પાલિકા એક્રોચમેન્‍ટ સ્‍ટાફ સાથે ઘર્ષણ

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

vartmanpravah

વાપીમાં યુવા બોર્ડની બેઠક મળી: દરેક તાલુકા-પાલિકા વિસ્‍તારમાં ‘‘સ્‍વામી વિવેકાનંદ વન” અભિયાન હાથ ધરાશે

vartmanpravah

Leave a Comment