July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં વિજ્‍યા દશમી પર્વએ રાવણના પુતળાનું કરાયેલું દહન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.05
આસુરી શક્‍તિ પર દૈવી શક્‍તિનો વિજય, ધર્મનો અધર્મ પર વિજયનુંમહા પર્વ એટલે વિજ્‍યા દશમી. સતત નવ નવ દિવસ સુધી ભારે ભક્‍તિભાવ અને હોંશભેર માઁ જગદંબાની આરાધના કર્યા બાદ આજે વલસાડમાં વિજ્‍યા દશમીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તીથલ રોડ સ્‍થિત ડી.ડી.ઓ. બંગલા પાછળ આવેલા ‘લેન્‍ડમાર્ક રેસિડેન્‍સી’ ખાતે આજે સાંજે રાવણના પુતળા દહનના કાર્યક્રમનું અનેરું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં યુવાનો વડીલો ઉત્‍સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે નાના નાના બાળકોને રાવણના ગુણો અને અવગુણો વિશે માહિતગાર કરાયા હતા, જોકે જિલ્લામાં પહેલા થતા મોટા રાવણ દાહનના કાર્યક્રમો આજે નહિવત જોવા મળ્‍યા હતા.

Related posts

દાદરા નગર હવેલીમાં ઈનપાસ સંસ્‍થા દ્વારા ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

સેલવાસ મામલતદારની ટીમે મોરખલમાં ગેરકાયદેસર માટી ખનન કરનારાઓ સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્‍ટ સંપન્ન

vartmanpravah

પારડી દમણીઝાંપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિર બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર: મહાદેવને રુદ્રાક્ષ, 12 જ્‍યોર્તિલિંગ તથા 108 પાર્થિવ શિવલિંગથી કર્યો શણગાર

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયાએ અંબામાતા મંદિરમાં 108 દીપક પ્રગટાવી પ્રધાનમંત્રીના નિરોગી અને દીર્ઘાયુ જીવનની કરેલી કામના

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

Leave a Comment