(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ,તા.05
આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય, ધર્મનો અધર્મ પર વિજયનુંમહા પર્વ એટલે વિજ્યા દશમી. સતત નવ નવ દિવસ સુધી ભારે ભક્તિભાવ અને હોંશભેર માઁ જગદંબાની આરાધના કર્યા બાદ આજે વલસાડમાં વિજ્યા દશમીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તીથલ રોડ સ્થિત ડી.ડી.ઓ. બંગલા પાછળ આવેલા ‘લેન્ડમાર્ક રેસિડેન્સી’ ખાતે આજે સાંજે રાવણના પુતળા દહનના કાર્યક્રમનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો વડીલો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે નાના નાના બાળકોને રાવણના ગુણો અને અવગુણો વિશે માહિતગાર કરાયા હતા, જોકે જિલ્લામાં પહેલા થતા મોટા રાવણ દાહનના કાર્યક્રમો આજે નહિવત જોવા મળ્યા હતા.