April 20, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નવા રેશનીંગ કાર્ડ બનાવવાની કામગીરીમાં વેઠ

કચેરીઓ દ્વારા ક્ષતિગ્રસ્‍ત કાર્ડ બનાવાય છે : હજારો નવા આયુષ્‍યમાન કાર્ડ બનાવનારા નાગરિકો ટલ્લે ચઢી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: ભારત સરકાર દ્વારા મધ્‍યમ અને નાના પરિવારોના નિઃશુલ્‍ક સ્‍વાસ્‍થ્‍ય સારવાર માટે 5 લાખની મર્યાદામાં આયુષ્‍યમાન (પી.એમ.જે.વાય.) યોજના કાર્યરત છે. દેશના નાગરિકો માટે શ્રેષ્‍ઠ કલ્‍યાણકારી યોજના છે. જેનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે. પરંતુ નવા આયુષ્‍યમાન કાર્ડ બનાવવા સરકાર દ્વારા સ્‍પે. ડ્રાઈવ સુધીના આવકાર્ય આયોજન સહિત નિયમિત જે તે આરોગ્‍ય શાખામાં કાર્ડ નિકળી પણ રહ્યા છે. આ યોજનાનો લાભ લેવા ત્રણ પુરાવા ફરજીયાત છે. આવકનો દાખલો, આધાર કાર્ડ અને રેશનીંગ કાર્ડ. આ ત્રણ પુરાવાર અરજકર્તા પાસે મૌજુદ હોય તો પણ આયુષ્‍યમાન કાર્ડ તેઓ મેળવી શકતા નથી. જરા અચરજ પમાડે તેવી આ સત્‍ય હકિકત છે. વલસાડ જિલ્લામાં હજારો નાગરિકો નવા આયુષ્‍યમાન કાર્ડ બનાવવા માટે રજળી રહ્યા છે.
આયુષ્‍યમાન કાર્ડ મેળવવા માટે અરજકર્તા કોઈ પણ આરોગ્‍ય શાખા કે સી.એચ.સી. મારફતે મેળવી રહ્યા છે. પણ તદ્દન સત્‍ય નથી અર્ધસત્‍ય છે. અરજકર્તા ત્રણે કે.વાય.સી. આધાર કાર્ડ, આવકનો દાખલોઅને રેશનીંગ કાર્ડ રજૂ કરે છે. પણ કાર્ડ નથી મેળવી શકતા કારણ કે જે તે મામલતદાર કચેરીઓ દ્વારા બનાવી આપેલ રેશનીંગ કાર્ડ સંખ્‍યાબંધ ક્ષતિપૂર્ણ નિકળે છે. તેમાં મોટા ભાગે સ્‍ટેટ સરવરમાં તમારા પરિવારના સભ્‍યોની ઈમેજ (નામો) ડીઝીટલી સબમીટ થયા વગરના જ બતાવે છે તેથી આરોગ્‍ય વિભાગ કે સી.એચ.સી. દ્વારા આયુષ્‍યમાન કાર્ડ બનાવવાની માંગણી રિજેક્‍ટ કરાઈ રહી છે. રેશનીંગના છબરડાઓએ તો હદ વટાવી દીધી છે. કોઈની અટક, કોઈના એડ્રેસ, કોઈના લીંગ જ્‍યાં ત્‍યાં દર્શાવી બારકોટેડ રેશનીંગ કાર્ડ અરજકર્તાને પકડાવી દેવાય છે. દરેક મામલતદાર કચેરીઓમાં વહેલી સવારથી જ રેશનીંગ કાર્ડમાં સુધારા-વધારા કરવાની લાઈનો લાગી જાય છે. એ પણ હજુ સુધી કોઈ ભાગ્‍યશાળી અરજકર્તા નિકળ્‍યો નથી કે તેને બે-ત્રણ ચક્કરમાં રેશનીંગ કાર્ડ મળ્‍યુ હોય!! લાગવકીયા કે વચેટીયાઓ ઉભા ઉભા કામ કરી જાય તે સ્‍પે.કેટેગરીની રેન્‍જમાં હોય છે જ્‍યારે આમ નાગરિક કતારમાં. સૌથી વધુ ગંભીર બાબત તો એ છે કે, કોઈ મોટી જટીલ ખર્ચાળ બિમારીનો પરિવારનું ભોગ બને ત્‍યારે આયુષ્‍યમાન કાર્ડ વગર સારવાર ક્‍યાં કરાવશે અને ખાનગી હોસ્‍પિટલમાં લાચારી જોગ ખર્ચાળ સારવાર કરાવી પડી તો તેની જવાબદારી-કસુરવારી શું મામલતદાર કચેરીની નથી?

Related posts

આજે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરાઈ

vartmanpravah

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું મેન્‍ડેડને અમલ કરાવવા તાલુકા સંગઠન પ્રમુખદિલીપ ભંડારીએ હાથ ધરેલી કવાયત

vartmanpravah

વલસાડમાં ડુપ્‍લીકેટ તેલનો કારોબાર ઝડપાયો : શાકભાજી માર્કેટમાં ચાર દુકાનોમાંથી ડુપ્‍લીકેટ બ્રાન્‍ડેડ તેલના ડબ્‍બા મળ્‍યા

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ઈન્‍સ્‍પાયર એવૉર્ડ-માનકમાં સંઘપ્રદેશના બે વિદ્યાર્થીઓની કૃતિની થયેલીપસંદગી

vartmanpravah

Leave a Comment