September 12, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા. 12: ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા. 13 ઓક્ટોબરે વાપીથી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં સવારે 11 કલાકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાપીમાં મત વિસ્તારોની મુલાકાત લેશે. તા. 14 ઓક્ટોબરે રાત્રે 2 કલાકે વાપીથી મુંબઈ એરપોર્ટ બાય રોડ જવા રવાના થશે. વહેલી સવારે 5-30 કલાકે મુંબઈ એરપોર્ટ પર આગમન થઈ 6-35 કલાકે મુંબઈ એરપોર્ટથી ઉદયપુર(રાજસ્થાન) જવા રવાના થશે. સવારે 9-30થી સાંજે 6-30 કલાક સુધી ઉદયપુરની રેડિસન બ્યુ હોટલમાં યોજનાર ઊર્જામંત્રીશ્રીઓની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. પરત રાત્રે 9-15 કલાકે મુંબઈ એરપોર્ટથી વાપી જવા રવાના થશે. બીજા દિવસે તા. 15 ઓક્ટોબરે શનિવારે સવારે 10 કલાકે પારડી ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે. બપોરે 1 કલાકે વલસાડ ખાતે જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેશે. બપોરે 3 કલાકે પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં ઉમરસાડી માછીવાડ, દેસાઈવાડ, પારડી, વેલપરવા રોડ, ઉમરસાડીના બીચ ઉપર પુલ બનાવવાના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે વાપી મત વિસ્તારની મુલાકાતે રવાના થશે.

Related posts

શ્રી ખોડલધામ યુવા સમિતિના હોદ્દેદારો દ્વારા વન સ્‍વચ્‍છતા તથા વન શિબિર યોજાઈ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિવિધ છોડની પ્રજાતિનો અભ્‍યાસ કર્યો

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍યસભા યોજાઈ : વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અથાક મહેનતથી સંઘપ્રદેશમાં હવે પી.જી. મેડિકલના અભ્‍યાસક્રમની પણ શરૂઆત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા સિંદોની પંચાયત ખાતે શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment