April 19, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા. 12: ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા. 13 ઓક્ટોબરે વાપીથી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં સવારે 11 કલાકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાપીમાં મત વિસ્તારોની મુલાકાત લેશે. તા. 14 ઓક્ટોબરે રાત્રે 2 કલાકે વાપીથી મુંબઈ એરપોર્ટ બાય રોડ જવા રવાના થશે. વહેલી સવારે 5-30 કલાકે મુંબઈ એરપોર્ટ પર આગમન થઈ 6-35 કલાકે મુંબઈ એરપોર્ટથી ઉદયપુર(રાજસ્થાન) જવા રવાના થશે. સવારે 9-30થી સાંજે 6-30 કલાક સુધી ઉદયપુરની રેડિસન બ્યુ હોટલમાં યોજનાર ઊર્જામંત્રીશ્રીઓની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. પરત રાત્રે 9-15 કલાકે મુંબઈ એરપોર્ટથી વાપી જવા રવાના થશે. બીજા દિવસે તા. 15 ઓક્ટોબરે શનિવારે સવારે 10 કલાકે પારડી ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે. બપોરે 1 કલાકે વલસાડ ખાતે જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેશે. બપોરે 3 કલાકે પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં ઉમરસાડી માછીવાડ, દેસાઈવાડ, પારડી, વેલપરવા રોડ, ઉમરસાડીના બીચ ઉપર પુલ બનાવવાના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે વાપી મત વિસ્તારની મુલાકાતે રવાના થશે.

Related posts

સેલવાસ લાયન્‍સ સ્‍કૂલમાં ‘શિક્ષક દિન’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ એન્‍ડ રિસર્ચમાં માનવાધિકાર દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડા વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

સરીગામ જીઆઇડીસી અને પ્રદૂષણ એકબીજાના બની રહેલા પર્યાય : કરજગામ નજીક એન્‍જિનિયરિંગ ઝોનમાં ખુલ્લામાં છોડવામાં આવેલું કલરયુક્‍ત પ્રદૂષિત પાણી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023નો પ્રારંભ: સર્વે માટે ત્રણેય જિલ્લાઓમાં તાલીમની થયેલી શરૂઆત

vartmanpravah

Leave a Comment