Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાએ વેરા વસૂલી અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યાઃ 213 મિલકત ધારકોને છેલ્લી નોટિસો ફટકારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગની ટીમે વેરા વસૂલાત અભિયાનને વેગ આપી 213 મિલકત માલિકોને છેલ્લી નોટિસબજાવી વેરો ભરવા તાકીદ કરી છે. ચલા ખાતે આવેલ હાઈલેન્‍ડ પાર્ક કોમ્‍પ્‍લેક્ષના 14 બાકીદારોને વેરો ભરવા નોટીસો આપવામાં આવી હતી. જેમાંથી 10 બાકીદારોએ સ્‍થળ પર જ રૂા.1.21 લાખનો વેરો ભરી દીધો હતો. બાકીની 4 દુકાનોને સીલ મારવામાં આવ્‍યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં વેરા વસૂલાતને વેગ આપવામાં આવી રહ્યો છે. ડુંગરામાં આસ્‍થા હાઈટ્‍સ, સાઈશ્રધ્‍ધા પ્‍લાઝા, સન સિગ્નેચર, મુસા માર્કેટ વગેરે બિલ્‍ડિંગના બાકીદારોને અને વાપીના ગારનેટ કોમ્‍પ્‍લેક્‍સ, સેન્‍ટર પોઈન્‍ટ, મહાવીર શોપિંગ સેન્‍ટર, સોલીટર બિઝનેસ સેન્‍ટર વગેરે બિલ્‍ડિંગના મળી 213 જેટલા બાકીદારોને છેલ્લી નોટિસ આપવામાં આવી છે. ટેક્ષ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ શ્રી રાકેશ ઠક્કરે એક યાદીમાં જણાવ્‍યું છે કે સરકારશ્રીની ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ પ્રોત્‍સાહક વળતર યોજના’ અંતર્ગત અગાઉના વર્ષોની તમામ નોટીસ ફી/વ્‍યાજની 100% રકમ માફ કરવામાં આવતી હોય તેનો લાભ બાકીદાર મિલકત માલિકોએ લેવો જોઈએ. વધુમાં ઓક્‍ટોબર-22 થી રીબેટ અને દંડના નિયમોનુસાર લાગતા દંડનીય વ્‍યાજ ભરવામાંથી મુક્‍તિ મેળવવા ચાલુ વર્ષના બાકીદારોને પણ પોતાનો વેરો ભરી દેવા વિનંતી થઈ છે. ઘરવેરા વિભાગ દ્વારા ચાલુ વર્ષનો બાકી વેરો ભરવામિલકત માલિકોને જાગૃત કરવા માટે સોસાયટીઓના પ્રમુખ અને સેક્રેટરી સાથે બેઠક કરી માહિતી આપવામાં આવી રહી છે.

Related posts

આદિવાસી એકતા પરિષદ દ્વારા દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયને હેરાન કરવાના મુદ્દે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

બરોડા આરસેટી દ્વારા શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મોબાઈલની મોકાણ : હર્યો ભર્યો સંસાર ઉજળતા રહી ગયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે દાનિકસ અધિકારી મનોજકુમાર પાંડેને જવાબદારી સોપાઈ

vartmanpravah

ચીખલીના મજીગામ પોસ્‍ટ ઓફિસમાં કથિત ગોબાચારીમાં પોસ્‍ટ વિભાગની ટીમ દ્વારા ખાતાધારકોના ઘરે ઘરે જઈને પાસ બુકોની કરાઈ રહેલી તપાસ

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

Leave a Comment