Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘોઘલાની સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.22: ભારત સરકારના આયુષ મંત્રાલયની સૂચના અને સંઘ પ્રદેશ પ્રશાસક શ્રી પ્રફુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ઘોઘલા ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્કશોપમાં આરોગ્‍ય વિભાગ દીવના તમામ આયુષ ડોકટરો, ઘ્‍ણ્‍બ્‍, ખ્‍ફપ્‍ બહેનો, આશા બહેનો તેમજ અન્‍ય સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા. સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ઘોઘલાના ડો.અજય ગઢવી દ્વારા આ વર્ષના આયુર્વેદ દિવસની થીમ ‘‘હર દિન હર ઘર આયુર્વેદ” અને માર્ગ દર્શિકાઓ પ્રેઝન્‍ટેસન દ્વારા સમજાવવામાં આવી. હેલ્‍થ ઓફિસર ડો.સુલતાનના જણાવ્‍યા મુજબ, ઘણી બીમારીઓમાં આયુર્વેદિક સારવાર અને પંચકર્મ દ્વારા ખૂબ સુંદર પરિણામ મેળવી શકાય છે. જેથી દીવ જિલ્લાના લોકોને સરકારી આયુર્વેદિક હોસ્‍પિટલ દીવ, ઘ્‍ણ્‍ઘ્‍ ઘોઘલા, અને ભ્‍ણ્‍ઘ્‍ વનાકબારા પરથી ઉપલબ્‍ધ આ સારવાર લેવાનો અનુરોધ કરવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ લીલાપોર-સરોધી પુલ પાણીમાં ગરકાવ : જીવના જોખમે રાહદારી-વાહન ચાલકો પુલ ક્રોસ કરે છે

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારીની અધ્‍યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં પાલિકા કક્ષાનો ‘‘મેરી માટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની ભાગ 2 ની બેઠક જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડમાં દિવ્‍યાંગ બાળકોના એસેસમેન્‍ટ કેમ્‍પનું અયોજન કરાયું

vartmanpravah

Leave a Comment