April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહના રખોલી સ્‍થિત આર.આર.કેબલ લિ. કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

સેલવાસ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન, લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ, લિયો ક્‍લબ અને ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજીત રક્‍તદાન શિબિરમાં 175 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : સંઘપ્રદેશ દાનહમાં હજારોની સંખ્‍યામાં નાના-મોટા અનેક ઉદ્યોગો આવેલા છે. જેમાં છાશવારે વિવિધપ્રકારે અકસ્‍માતો સર્જાતા હોય છે, જેમાં કેટલીક વખત પીડિતોને રક્‍તની પણ જરૂરિયાત પડતી હોય છે. જેને પહોંચી વળવા ક્‍યારેક ક્‍યારેક કંપનીઓના સહયોગ દ્વારા રક્‍તદાન શિબિરોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેની કડીમાં આજે રખોલી ખાતે આવેલ આર.આર.ગ્‍લોબલ ગ્રુપની આર.આર.કેબલ લિમિટેડ કંપની દ્વારા સેલવાસ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન, લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ, લિયો ક્‍લબ અને ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી 17મા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રક્‍તદાન શિબિરનું આયોજન કંપની પરિસરમાં આવેલ હનુમાનજી મંદિરના સભાગૃહમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓ, કામદારો સહિતના રક્‍તદાતાઓએ સહયોગ આપી પોતાના બહુમૂલ્‍ય રક્‍તનું ઉત્‍સાહભેર દાન કર્યું હતું.
પ્રારંભમાં રક્‍તદાન શિબિરનો શુભારંભ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્‍યો હતો. આ શિબિરમાં 175 યુનિટ જેટલું રક્‍ત એકત્ર થયું હતું. અત્રે આયોજીત શિબિરમાં મહિલાઓએ પણ રક્‍તદાન કર્યું હતું. આ શિબિરમાં કંપનીના ડાયરેક્‍ટર શ્રી સતીશ અગ્રવાલ, જીએમ શ્રી સુરેશ અસાવા, મામાજી, એડમીન મેનેજર શ્રી ગિરીશ પાંડા સહિત દરેક વિભાગના એચ.ઓ.ડી. અને દાનહમાં સ્‍થિત આર.આર.ગ્‍લોબલ ગ્રુપના દરેક ચાર યુનિટનાકામદારોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ અવસરે કંપનીના સંચાલકો, કર્મચારીઓ, રેડ કોર્સ સોસાયટીના સભ્‍યો અને લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસના પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કુલ સલવાવમાં કોમ્‍પ્‍યુટર લેબ અને સ્‍માર્ટ બોર્ડનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

આજે હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-રેલી પ્રદર્શન યોજશે

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં રાજ્‍યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્‍યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે રાજ્‍ય સરકારનો મહત્‍વપૂર્ણ નિર્ણય

vartmanpravah

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

vartmanpravah

Leave a Comment