Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખારીવાડ વિસ્‍તારથી સાંઈ ભક્‍તોની દમણમાં પ્રેમ અને ભાઈચારાના ઉદ્દેશ્‍યથી નીકળી પદયાત્રાઃ ભાજપ પ્રદેશ માઈનોરિટી મોર્ચાના અધ્‍યક્ષ શૌકત મિઠાણીએ યાત્રાનું કરાવેલું પ્રસ્‍થાન

સંઘપ્રદેશમાં સર્વધર્મ સમભાવના પ્રતિક બનેલા શૌકત મિઠાણી ગણેશોત્‍સવ અને નવરાત્રિમાં પણ ઉત્‍સાહથી લેતા ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : નાની દમણના ખારીવાડ વિસ્‍તારથી સાંઈ ભક્‍તોની પદયાત્રા નીકળી હતી. જેમાં 200 જેટલા યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને આગેવાનો પુરૂષ પદયાત્રીઓ મોટી સંખ્‍યામાં પદયાત્રાએ રવાના થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણના મીટનાવાડથી આ પદયાત્રા પાછલા 18 વર્ષોથી સતત યોજાઈ રહી છે. જેમાં ખારીવાડના માઈનોરિટી મોર્ચાનાઅધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મીઠાણી પદયાત્રીઓનો ઉત્‍સાહ વધારવા તેમની વચ્‍ચે પહોંચીને સાંઈબાબાની પાલખી લઈ ચાર પાંચ કિલોમીટર સુધી ચાલે છે, તેમજ પદયાત્રીઓની જરૂરિયાતનું પણ ધ્‍યાન રાખે છે, આ સાંઈ બાબાની પાલખી સાથે પદયાત્રાનો ઉદ્દેશ્‍ય દમણ-દીવ સાથે સંપૂર્ણ ભારતમાં શાંતિ પ્રેમ અને ભાઈચારો કાયમ રહે અને ભારતવાસીઓમાં એકતા બની રહે એવી ભાવના સાથે આ પદયાત્રીઓ દમણથી શિરડી સુધી સાંઈબાબાના દરબારમાં પગપાળા દર્શને માટે પહોંચે છે. શ્રી શૌકતભાઈ મીઠાણી ફક્‍ત સાંઈ ભક્‍તોની પાલખી યાત્રામાં જ નહીં, તેઓ ગણેશ ઉત્‍સવ અને નવરાત્રીમાં પણ આટલા જ ઉત્‍સાહથી ભાગ લઈ ભક્‍તોનો ઉત્‍સાહ વધારતા રહે છે.

Related posts

વાપી ગુજરાતના 29 વિદ્યાર્થીઓને બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે કરજપાડામાં જોવા લાયક માવલી ધોધ અને ભીલી ધોધ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ સરીગામ ભીલાડ દ્વારા મેગા ફ્રી મેડિકલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ પોલીકેબ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્‍વમાં થયેલો આરંભ

vartmanpravah

ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ધરમપુર વિરવલ હાઈસ્‍કૂલ વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં ભણવા લાચાર : ચોમાસામાં સ્‍થિતિ દયનિય

vartmanpravah

Leave a Comment