Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : ઉત્તર ભારતના ખાસ કરીને બિહાર અને ઉત્તર-પૂર્વના પ્રદેશમાં છઠ્ઠપૂજાનું ઘણું મહત્‍વ છે. આ પૂજા ત્રણ દિવસ ચાલે છે. જેમાં સૌભાગ્‍યવાન મહિલાઓ પોતાના પરિવારની સુખ-શાંતિ-સમૃદ્ધિ માટે પૂરી આસ્‍થા અને શ્રધ્‍ધા સાથે પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે. કારતક માસના છઠ્ઠના દિને સાંજે ડૂબતા સૂર્યને અર્ધ્‍ય પ્રદાન કરી નદીના ઘાટ પર પૂજા કરવામાં આવે છે અને બીજા દિવસે સાતમના દિને ઉગતા સૂર્યની પૂજાકરવામાં આવે છે. દાનહમાં પણ બિહાર સમાજ દ્વારા સેલવાસ દમણગંગા નદી કિનારે રિવર ફ્રન્‍ટ પર ઓલ ઈન્‍ડિયા પીપલ્‍સ એસોસિએશન અને ઉત્તર ભારતીય સેવા સંઘ દ્વારા ડોકમરડી ખાડી કિનારે બિહાર જન સેવા સંઘ દ્વારા બાવીસા ફળિયા મહાદેવ મંદિર નજીક નદી કિનારે છઠ્ઠ મિથિલ મિત્ર મંડળ દ્વારા છઠ્ઠપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બિહાર સમાજના આગેવાનો, મહિલાઓ સહીત પૂજામાં ભાગ લીધો હતો અને પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ છઠ્ઠપૂજા દાનહ પોલીસ દ્વારા પણ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

Related posts

દમણના પાર્થ જોશીએ ગોવાની સ્‍ટેટ રેન્‍કિંગ બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટમાં રજત ચંદ્રક જીત્‍યો

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વલસાડના તિથલ સ્‍વામિનારાયણ મંદિરે રજત જયંતિ નિમિત્તે 2525 વાનગીઓનો ભવ્‍ય અન્નકૂટ ઉત્‍સવ ઉજવાયો

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ કોલેજમાં એનએસ યુનિટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખરીફ ઋતુમાં 8 માસમાં 38500 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી તાલીમબધ્‍ધ કરાયા

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ વાપી નૂતન નગર સરદાર પટેલ ઉદ્યાનના ‘સરદાર પટેલ’ ઉજવણીમાં વિસરાઈ ગયા

vartmanpravah

Leave a Comment