March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : ઉત્તર ભારતના ખાસ કરીને બિહાર અને ઉત્તર-પૂર્વના પ્રદેશમાં છઠ્ઠપૂજાનું ઘણું મહત્‍વ છે. આ પૂજા ત્રણ દિવસ ચાલે છે. જેમાં સૌભાગ્‍યવાન મહિલાઓ પોતાના પરિવારની સુખ-શાંતિ-સમૃદ્ધિ માટે પૂરી આસ્‍થા અને શ્રધ્‍ધા સાથે પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે. કારતક માસના છઠ્ઠના દિને સાંજે ડૂબતા સૂર્યને અર્ધ્‍ય પ્રદાન કરી નદીના ઘાટ પર પૂજા કરવામાં આવે છે અને બીજા દિવસે સાતમના દિને ઉગતા સૂર્યની પૂજાકરવામાં આવે છે. દાનહમાં પણ બિહાર સમાજ દ્વારા સેલવાસ દમણગંગા નદી કિનારે રિવર ફ્રન્‍ટ પર ઓલ ઈન્‍ડિયા પીપલ્‍સ એસોસિએશન અને ઉત્તર ભારતીય સેવા સંઘ દ્વારા ડોકમરડી ખાડી કિનારે બિહાર જન સેવા સંઘ દ્વારા બાવીસા ફળિયા મહાદેવ મંદિર નજીક નદી કિનારે છઠ્ઠ મિથિલ મિત્ર મંડળ દ્વારા છઠ્ઠપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બિહાર સમાજના આગેવાનો, મહિલાઓ સહીત પૂજામાં ભાગ લીધો હતો અને પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ છઠ્ઠપૂજા દાનહ પોલીસ દ્વારા પણ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ 21મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશથી દમણ જિલ્લામાં રોજગાર મેળાના આયોજન માટે જિલ્લા પ્રશાસને શરૂ કરેલી તૈયારી

vartmanpravah

પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસ

vartmanpravah

વાપી નજીક બલીઠા પાસે વંદે ભારત ટ્રેન સામે ગાય આવી જતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન સંદર્ભે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

Leave a Comment