April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : ઉત્તર ભારતના ખાસ કરીને બિહાર અને ઉત્તર-પૂર્વના પ્રદેશમાં છઠ્ઠપૂજાનું ઘણું મહત્‍વ છે. આ પૂજા ત્રણ દિવસ ચાલે છે. જેમાં સૌભાગ્‍યવાન મહિલાઓ પોતાના પરિવારની સુખ-શાંતિ-સમૃદ્ધિ માટે પૂરી આસ્‍થા અને શ્રધ્‍ધા સાથે પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે. કારતક માસના છઠ્ઠના દિને સાંજે ડૂબતા સૂર્યને અર્ધ્‍ય પ્રદાન કરી નદીના ઘાટ પર પૂજા કરવામાં આવે છે અને બીજા દિવસે સાતમના દિને ઉગતા સૂર્યની પૂજાકરવામાં આવે છે. દાનહમાં પણ બિહાર સમાજ દ્વારા સેલવાસ દમણગંગા નદી કિનારે રિવર ફ્રન્‍ટ પર ઓલ ઈન્‍ડિયા પીપલ્‍સ એસોસિએશન અને ઉત્તર ભારતીય સેવા સંઘ દ્વારા ડોકમરડી ખાડી કિનારે બિહાર જન સેવા સંઘ દ્વારા બાવીસા ફળિયા મહાદેવ મંદિર નજીક નદી કિનારે છઠ્ઠ મિથિલ મિત્ર મંડળ દ્વારા છઠ્ઠપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બિહાર સમાજના આગેવાનો, મહિલાઓ સહીત પૂજામાં ભાગ લીધો હતો અને પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ છઠ્ઠપૂજા દાનહ પોલીસ દ્વારા પણ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશ દાનહઅને દમણ-દીવને ભારત સરકાર દ્વારા રૂા.250 કરોડની ભેટ દાનહના રખોલી-ખડોલી-વેલુગામ રોડની ફોરલેન યોજના મંજૂર : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.163 કરોડની ફાળવણી

vartmanpravah

દાનહની કરોડો રૂપિયાની સરકારી જમીન ખાનગી વ્‍યક્‍તિના નામે કરવાના કૌભાંડમાં સેલવાસ અને ખાનવેલના પૂર્વ મામલતદાર શર્મા અને ભંડારીના લંબાયેલા પોલીસ રિમાન્‍ડઃ કૌભાંડોના સૂત્રધારો સુધી પહોંચવા પોલીસ તંત્રની મથામણ

vartmanpravah

બિહારના મુખ્‍યમંત્રી નીતીશ કુમાર ભ્રષ્‍ટાચારના વિરૂદ્ધ ઝીરો ટોલરન્‍સની નીતિ ધરાવતા સમગ્ર દેશમાં એકમાત્ર નેતાઃ ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ-દમણ-દીવ પ્રદેશ જનતાદળ(યુ) પ્રમુખ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ દીવમાં ટી.બી.ની યોજનાઓ ચકાસવા મિશન દિલ્‍હીની ટીમે લીધી મુલાકાત

vartmanpravah

vartmanpravah

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment