March 6, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર અને એન.એસ.એસ. યુવાનોએ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ અંતર્ગત કરેલી સાફ-સફાઈ

 

 

 

 

 

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલકૂદ મંત્રાલયની સ્‍વાયત્ત સંસ્‍થા નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા 18 ઓક્‍ટોબરના રોજ ‘ક્‍લીન ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત નાની દમણ જેટી ખાતે સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સ્‍વચ્‍છ ભારતના સપનાને સાકાર કરવા માટે આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્‍સવ અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દમણના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શનમાં આ ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ 01થી 31 ઓક્‍ટોબર, ર0ર1 સુધી આયોજીત કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમની શરૂઆતમાં તમામ યુવાઓએ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 100 કલાક શ્રમદાન કરવાનો અને અન્‍ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરણા આપવાનો સંકલ્‍પ લીધો હતો. ત્‍યારબાદ યુવાનોએ નાની દમણ જેટીમાં સફાઈનું કામ કર્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્‍દ્ર અને રાષ્‍ટ્રીય સેવા યોજનાના યુવા સ્‍વયંસેવકો સામેલ હતા. કાર્યક્રમનો ઉદ્દેશ સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક અને અન્‍ય કચરામાંથી છુટકારોમેળવવાનો અને લોકોને સ્‍વચ્‍છતા અંગે જાગળત કરવાનો હતો.
આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા નહેરુ યુવા કેન્‍દ્ર સંગઠન ગુજરાતના રાજ્‍ય નિયામક મનીષા શાહે યુવાનોને સંબોધતા જણાવ્‍યું હતું કે વડાપ્રધાનના નેતળત્‍વમાં દેશ તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યો છે અને ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ આ કાર્યક્રમમાં એનએસએસ નોડલ ઓફિસર આરસી અગ્રવાલ, નહેરુ યુવા કેન્‍દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમા કૈથવાસ, એનએસએસના કાર્યક્રમ અધિકારી શ્રી ભાવેશ, જસમીત, ઉષા અને પ્રોગ્રામ સુપરવાઈઝર ચંદ્રકાન્‍ત, શ્રી નરેન્‍દ્ર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજનમાં રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવક શિવાની, ધૃવ, સ્‍નેહા અને હર્ષિલની મહત્‍વપૂર્ણ ભૂમિકા રહી હતી.

Related posts

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આપેલો સંદેશ

vartmanpravah

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલ અત્‍યાચારને બંધ કરાવવા હિન્‍દુ હિત રક્ષા સમિતિ, સેલવાસ દ્વારા રેલી-ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી કલેક્‍ટરને સોંપાયું આવેદન પત્ર

vartmanpravah

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી રિવર સાઈડ દ્વારા ‘રંગીન વિચારો’ ચિત્ર સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા વર્લ્‍ડ વાઈલ્‍ડ લાઈફ દિવસ નિમિત્તે કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ પોલીસ અધિક્ષક હરેશ્વર સ્‍વામીએ ભારત સ્‍કાઉટ ગાઈડનું કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

Leave a Comment