Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખારીવાડ વિસ્‍તારથી સાંઈ ભક્‍તોની દમણમાં પ્રેમ અને ભાઈચારાના ઉદ્દેશ્‍યથી નીકળી પદયાત્રાઃ ભાજપ પ્રદેશ માઈનોરિટી મોર્ચાના અધ્‍યક્ષ શૌકત મિઠાણીએ યાત્રાનું કરાવેલું પ્રસ્‍થાન

સંઘપ્રદેશમાં સર્વધર્મ સમભાવના પ્રતિક બનેલા શૌકત મિઠાણી ગણેશોત્‍સવ અને નવરાત્રિમાં પણ ઉત્‍સાહથી લેતા ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : નાની દમણના ખારીવાડ વિસ્‍તારથી સાંઈ ભક્‍તોની પદયાત્રા નીકળી હતી. જેમાં 200 જેટલા યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને આગેવાનો પુરૂષ પદયાત્રીઓ મોટી સંખ્‍યામાં પદયાત્રાએ રવાના થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણના મીટનાવાડથી આ પદયાત્રા પાછલા 18 વર્ષોથી સતત યોજાઈ રહી છે. જેમાં ખારીવાડના માઈનોરિટી મોર્ચાનાઅધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મીઠાણી પદયાત્રીઓનો ઉત્‍સાહ વધારવા તેમની વચ્‍ચે પહોંચીને સાંઈબાબાની પાલખી લઈ ચાર પાંચ કિલોમીટર સુધી ચાલે છે, તેમજ પદયાત્રીઓની જરૂરિયાતનું પણ ધ્‍યાન રાખે છે, આ સાંઈ બાબાની પાલખી સાથે પદયાત્રાનો ઉદ્દેશ્‍ય દમણ-દીવ સાથે સંપૂર્ણ ભારતમાં શાંતિ પ્રેમ અને ભાઈચારો કાયમ રહે અને ભારતવાસીઓમાં એકતા બની રહે એવી ભાવના સાથે આ પદયાત્રીઓ દમણથી શિરડી સુધી સાંઈબાબાના દરબારમાં પગપાળા દર્શને માટે પહોંચે છે. શ્રી શૌકતભાઈ મીઠાણી ફક્‍ત સાંઈ ભક્‍તોની પાલખી યાત્રામાં જ નહીં, તેઓ ગણેશ ઉત્‍સવ અને નવરાત્રીમાં પણ આટલા જ ઉત્‍સાહથી ભાગ લઈ ભક્‍તોનો ઉત્‍સાહ વધારતા રહે છે.

Related posts

દમણ-દીવમાં ભાજપે ચોથી ટર્મ માટે પણ સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ આપતાં લોકોમાં પ્રગટ થઈ રહેલો અપાર આનંદ-ઉત્‍સાહ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્‍સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે

vartmanpravah

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

ધરમપુરમાં‘મહેકે માતૃભાષા’ અંતર્ગત કવિ સંમેલન સાથે માતૃભાષા મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં કવરત્તી-રાજ નિવાસના ચાલી રહેલા બાંધકામનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment