Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખારીવાડ વિસ્‍તારથી સાંઈ ભક્‍તોની દમણમાં પ્રેમ અને ભાઈચારાના ઉદ્દેશ્‍યથી નીકળી પદયાત્રાઃ ભાજપ પ્રદેશ માઈનોરિટી મોર્ચાના અધ્‍યક્ષ શૌકત મિઠાણીએ યાત્રાનું કરાવેલું પ્રસ્‍થાન

સંઘપ્રદેશમાં સર્વધર્મ સમભાવના પ્રતિક બનેલા શૌકત મિઠાણી ગણેશોત્‍સવ અને નવરાત્રિમાં પણ ઉત્‍સાહથી લેતા ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : નાની દમણના ખારીવાડ વિસ્‍તારથી સાંઈ ભક્‍તોની પદયાત્રા નીકળી હતી. જેમાં 200 જેટલા યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને આગેવાનો પુરૂષ પદયાત્રીઓ મોટી સંખ્‍યામાં પદયાત્રાએ રવાના થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણના મીટનાવાડથી આ પદયાત્રા પાછલા 18 વર્ષોથી સતત યોજાઈ રહી છે. જેમાં ખારીવાડના માઈનોરિટી મોર્ચાનાઅધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મીઠાણી પદયાત્રીઓનો ઉત્‍સાહ વધારવા તેમની વચ્‍ચે પહોંચીને સાંઈબાબાની પાલખી લઈ ચાર પાંચ કિલોમીટર સુધી ચાલે છે, તેમજ પદયાત્રીઓની જરૂરિયાતનું પણ ધ્‍યાન રાખે છે, આ સાંઈ બાબાની પાલખી સાથે પદયાત્રાનો ઉદ્દેશ્‍ય દમણ-દીવ સાથે સંપૂર્ણ ભારતમાં શાંતિ પ્રેમ અને ભાઈચારો કાયમ રહે અને ભારતવાસીઓમાં એકતા બની રહે એવી ભાવના સાથે આ પદયાત્રીઓ દમણથી શિરડી સુધી સાંઈબાબાના દરબારમાં પગપાળા દર્શને માટે પહોંચે છે. શ્રી શૌકતભાઈ મીઠાણી ફક્‍ત સાંઈ ભક્‍તોની પાલખી યાત્રામાં જ નહીં, તેઓ ગણેશ ઉત્‍સવ અને નવરાત્રીમાં પણ આટલા જ ઉત્‍સાહથી ભાગ લઈ ભક્‍તોનો ઉત્‍સાહ વધારતા રહે છે.

Related posts

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા ‘‘વિશ્વ આદિવાસી દિવસ” નિમિતે મેગા ડોનેશન ડ્રાઈવ યોજાયો

vartmanpravah

સેલવાસઃ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ માટે ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો: ભર ઉનાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા સિંદોની પંચાયત ખાતે શિબિર યોજાશે

vartmanpravah

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

vartmanpravah

Leave a Comment