Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભા ચૂંટણી-2024 સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં લોક જનશક્‍તિ પાર્ટી(લોજપા)એ ભાજપને જાહેર કરેલું સમર્થન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : આગામી લોકસભા ચૂંટણી-2024માં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું લોક જન શક્‍તિ પાર્ટી (લોજપા)એ આજે નક્કી કર્યું હતું. આ અવસરે પ્રદેશ લોજપા(રામ વિલાસ)ના ઉપાધ્‍યક્ષ શ્રી મિલન ગોરાટ સહિત પાર્ટીના વિવિધ પદાધિકારીઓ, કાર્યકરો અને મીડિયાકર્મીઓ હાજર રહ્યા હતા.
આજે પ્રદેશ લોજપા પ્રમુખ શ્રી રાજન સોલંકીએ પોતાની સ્‍થિતિ સ્‍પષ્ટ કરવા એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેમણે પત્રકારોનો સંબોધતા જણાવ્‍યું હતું કે, એન.ડી.એ.માં ઘટક પક્ષમાં લોક જનશક્‍તિ પાર્ટી (રામ વિલાસ) એક સહભાગી હોવાને કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની લોકસભાની બંને બેઠકો ઉપર ભાજપના ઉમેદવારને અમારૂં સંપૂર્ણ સમર્થન છે અને અમારા તમામ કાર્યકરો સંપૂર્ણ સમર્પણ સાથે ભાજપ માટે કામ કરશે. શ્રી રાજન સોલંકીએ વધુમાં જણાવ્‍યું હતું કે પક્ષના વડા શ્રી ચિરાગ પાસવાનના આદેશ મુજબ લોક જનશક્‍તિ પાર્ટી (રામવિલાસ) સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી-2024માં ભાજપનેસમર્થન આપશે. પરંતુ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓમાં અમે ભાજપને ત્‍યારે જાણ કરીશું. પાર્ટી હાઈકમાન્‍ડ અને પ્રવર્તમાન સંજોગો જોઈને અમે અમારી વિવેકબુદ્ધિ મુજબ નિર્ણય લઈશું અને પ્રદેશના હિતમાં યોગ્‍ય હોય તેવા જ પગલાં લઈશું. શ્રી સોલંકીએ જણાવ્‍યું હતું કે, શ્રી નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વમાં એન.ડી.એ.નું 400થી વધુ બેઠકો જીતવાનું સપનુ સાકાર કરવા અમે સંપૂર્ણ કટિબદ્ધ છીએ. ત્‍યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થયેલા સર્વાંગી વિકાસને જોતા લાગે છે કે કેન્‍દ્ર શાસિત પ્રદેશ ટૂંક સમયમાં વિકાસની તમામ ઊંચાઈઓને સ્‍પર્શ કરશે. અમે તેના તમામ પ્રયત્‍નો અને કાર્યની પ્રશંસા કરીએ છીએ.

Related posts

જિલ્લા ટર્ન આઉટ ઈમ્‍પ્‍લિટેશન પ્‍લાનના નોડલ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર મિટ યોજાઈ

vartmanpravah

દમણ પાલિકા અને જિલ્લા પંચાયતે પ્રદેશના થયેલા ઐતિહાસિક સર્વાંગી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર માનતો પ્રસ્‍તાવ પસાર કર્યો

vartmanpravah

દમણમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ ઉત્‍સવ’ નિમિત્તે ભાજપા દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો 

vartmanpravah

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

vartmanpravah

ચીખલી સહિત ગણદેવી વિધાનસભા મતવિસ્‍તારમાં કુલ-23 જેટલા માર્ગોની 10.37 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થશે

vartmanpravah

વલસાડની સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના સ્‍પે. આસિસ્‍ટન્‍ટનો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment