June 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા વિ.પ્ર. ફાઉન્‍ડેશનના પૂર્વ અધ્‍યક્ષ સ્‍વ.સુરેશ પારીકની વાપીરાજસ્‍થાન ભવનમાં શ્રધ્‍ધાંજલી સભાઈ યોજાઈ

વાપી, વલસાડ, ઉમરગામ સહિત તમામ વિસ્‍તારના વિવિધ રાજસ્‍થાની સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લા રાજસ્‍થાની સમાજના અગ્રણી તેમજ જિલ્લા વિ.પ્ર. ફાઉન્‍ડેશનના પૂર્વ અધ્‍યક્ષ સુરેશ પારીકના નિધન પર સર્વ રાજસ્‍થાની સમાજ દ્વારા રવિવારે વાપીમાં શ્રધ્‍ધાંજલી સભા યોજાઈ હતી.
રાજસ્‍થાન ભવનમાં યોજાયેલ શ્રધ્‍ધાંજલી સભામાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ, વિ.પ્ર. ફાઉન્‍ડેશન, પારિક સમાજ, જાટ સમાજ પરિષદ, અગ્રવાલ સેવા સમિતિ માલી સમાજ, રાજપૂત સમાજ, બિશ્નોઈ સમાજ, રાજસ્‍થાન જૈન એકતા મંચ, ગૌડ બ્રાહ્મણ સમાજ, હરિયાણા સમાજ, સાલાસર હનુમાન પ્રચાર મંડળ સહિતના વિવિધ સમાજના સંગઠનો સ્‍વ.સુરેશ પારીકની શ્રધ્‍ધાંજલી સભામાં મોટી સંખ્‍યામાં જોડાયા હતા. સ્‍વ.સુરેશ પારીકની તસવીર ઉપર ભાવભરી પુષ્‍પાંજલી સાથે સૌએ શ્રધ્‍ધાંજલી આપી હતી. આ પ્રસંગે રાજસ્‍થાન પ્રગતિ મંડળ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી બી.કે. દાયમાએ જણાવ્‍યું હતું કે, તેમના નિધનથી સમગ્ર રાજસ્‍થાન સમાજમાં ના પુરાય તેવી મોટી ખોટ પડી છે. તેઓ મિલનસાર સ્‍વભાવના તેમજ સરલ સ્‍વભાવ, સેવાભાવી હતા. તેમની સમાજ સેવાના યોગદાનની સમાજ હંમેશા યાદ રાખશે.

Related posts

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ દ્વારા વિશ્વના ટોચના ફ્રી સ્‍ટાઈલ ફૂટબોલરનું આયોજન થયું

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકનંદજીની 162મી જન્‍મજયંતી રંગેચંગે ઉજવાઈ: 3000 યુવાનોએ રેલી અને સંમેલનમાં ભાગ લીધો

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

દમણ સચિવાલયના સભાખંડમાં રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના ભામટી ગામ ખાતે યોજાઈ ચૌપાલ: નીતિ-નિયમોના પાલનની બાબતોમાં ભામટી માહ્યાવંશી ફળિયાની પ્રશંસા કરતા બીડીઓ પ્રેમજીભાઈ મકવાણા

vartmanpravah

Leave a Comment