Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વૃષ્‍ટિ શાહનો ભવ્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપીના વીઆઈએ ઓડિટોરીયમ ખાતે તા.20-11-2022ને રવિવારના રોજ સવારે 9 કલાકે વાપીનાં વેપારી એવા પ્રિયાંક શાહ અને વૈશાલીબેન શાહની દકિરી વૃષ્ટિ શાહનો ભરત નાટયમ આરંગત્રેમ્‌ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં માણવા માટે લોકો ઉપસ્‍થિત રહ્યા હતાં. વૃષ્ટિ શાહે 7 વર્ષના પરિશ્રમ બાદ ભરત નાટ્‍યમ શાષાીય નૃત્‍યની તાલિમ કલાગુરૂ ભાવનાબેન ભાવસાર પાસેથી લીધા બાદ આ નૃત્‍યમાં નિપૂણતા આવતા નૃત્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ વીઆઈએ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વૃષ્ટિએ ભરત નાટયમનાં વિવિધ નૃત્‍ય જેમાં પુષ્‍પાંજલિ, શંકર સ્‍તુતિ, જતિશ્વરમ્‌, શબ્‍દમ્‌, વર્ણમ્‌, કિર્તનમ્‌, દેવી સ્‍તુતિ, પદમ્‌, તિલ્લાના, મંગલમ્‌, જેવા વિવિધ આરંગેત્રમ્‌,ના નૃત્‍ય પ્રદર્શિત કરી ઉપસ્‍થિત લોકોને પોતાની કલા નૃત્‍યથી મંત્રમુગ્‍ધ કર્યા હતાં.
વાપી પબ્‍લિક સ્‍કુલમાં ધો. 11માં અભ્‍યાસ કરતી વૃષ્ટિ શાહ, કરાટેમાં બ્‍લેક બ્‍લેટ તેમજ સ્‍કેટીંગ અને રાફયલ શુટીંગમાં સ્‍ટેટ લેવલ સુધી પહોંચવાની સિધ્‍ધી હાંસલ કરી ચૂકી છે.
આ અવસરે કલાગુરૂ ભાવનાબેને જણાવ્‍યું હતું કે, ભરત નાટયમ્‌ એ કોઈ નૃત્‍ય નથી પરંતુ ભારતની જીવંત સંસ્‍કળતિ છે. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે શ્રી ગોવિંદભાઈ બી. પટેલ (સી.એમ.ડી. જલારામ સ્‍ટીલ ફર્નિચરપ્રા.લી.) અને શ્રી ખીમજીભાઈ હરીભાઈ ચાવડા (જીવદયા પ્રેમી) ઉપસ્‍થિત રહ્યા હતાં. તેમજ વાપી પબ્‍લિક સ્‍કૂલનાં આચાર્યા અલ્‍પાબેન કોટડિયા, હાર્દિક જોશી સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમને માણવા માટી મોટી સંખ્‍યામાં સ્‍નેહીજનો ઉમટી પડયા હતાં.

Related posts

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

અદાણી ગેસની બોગસ વેબસાઈટથી વાપીના બિલ્‍ડર પાસેથી રૂા.94.20 લાખની છેતરપિંડીકરનાર ગેંગનો પાંચમો આરોપી ઝડપાયો

vartmanpravah

સેલવાસમાં એસી રીપેરીંગની દુકાનમાં 10 હજારની ચોરી

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસને માછીમારોને દરીયો ખેડવા આપેલી પરવાનગીઃ માછીમારોની નવી સિઝનનો આરંભ

vartmanpravah

દાનહની ત્રિ-દિવસીય મુલાકાતે આવેલા કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી દેવુસિંહ ચૌહાણે યુવા મતદાતાઓ સાથે કરેલો સંવાદ: આવનાર લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોને કરેલા પ્રોત્‍સાહિત

vartmanpravah

દાનહના કેટલાક વિસ્‍તારોમાં વાયરલ ફીવર અને ડેંગ્‍યુના કેસોમાં થયેલો વધારો સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલા યુવાનનું થયું મોત

vartmanpravah

Leave a Comment