Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વૃષ્‍ટિ શાહનો ભવ્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપીના વીઆઈએ ઓડિટોરીયમ ખાતે તા.20-11-2022ને રવિવારના રોજ સવારે 9 કલાકે વાપીનાં વેપારી એવા પ્રિયાંક શાહ અને વૈશાલીબેન શાહની દકિરી વૃષ્ટિ શાહનો ભરત નાટયમ આરંગત્રેમ્‌ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં માણવા માટે લોકો ઉપસ્‍થિત રહ્યા હતાં. વૃષ્ટિ શાહે 7 વર્ષના પરિશ્રમ બાદ ભરત નાટ્‍યમ શાષાીય નૃત્‍યની તાલિમ કલાગુરૂ ભાવનાબેન ભાવસાર પાસેથી લીધા બાદ આ નૃત્‍યમાં નિપૂણતા આવતા નૃત્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ વીઆઈએ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વૃષ્ટિએ ભરત નાટયમનાં વિવિધ નૃત્‍ય જેમાં પુષ્‍પાંજલિ, શંકર સ્‍તુતિ, જતિશ્વરમ્‌, શબ્‍દમ્‌, વર્ણમ્‌, કિર્તનમ્‌, દેવી સ્‍તુતિ, પદમ્‌, તિલ્લાના, મંગલમ્‌, જેવા વિવિધ આરંગેત્રમ્‌,ના નૃત્‍ય પ્રદર્શિત કરી ઉપસ્‍થિત લોકોને પોતાની કલા નૃત્‍યથી મંત્રમુગ્‍ધ કર્યા હતાં.
વાપી પબ્‍લિક સ્‍કુલમાં ધો. 11માં અભ્‍યાસ કરતી વૃષ્ટિ શાહ, કરાટેમાં બ્‍લેક બ્‍લેટ તેમજ સ્‍કેટીંગ અને રાફયલ શુટીંગમાં સ્‍ટેટ લેવલ સુધી પહોંચવાની સિધ્‍ધી હાંસલ કરી ચૂકી છે.
આ અવસરે કલાગુરૂ ભાવનાબેને જણાવ્‍યું હતું કે, ભરત નાટયમ્‌ એ કોઈ નૃત્‍ય નથી પરંતુ ભારતની જીવંત સંસ્‍કળતિ છે. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે શ્રી ગોવિંદભાઈ બી. પટેલ (સી.એમ.ડી. જલારામ સ્‍ટીલ ફર્નિચરપ્રા.લી.) અને શ્રી ખીમજીભાઈ હરીભાઈ ચાવડા (જીવદયા પ્રેમી) ઉપસ્‍થિત રહ્યા હતાં. તેમજ વાપી પબ્‍લિક સ્‍કૂલનાં આચાર્યા અલ્‍પાબેન કોટડિયા, હાર્દિક જોશી સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમને માણવા માટી મોટી સંખ્‍યામાં સ્‍નેહીજનો ઉમટી પડયા હતાં.

Related posts

પારડીની પરણીતાએ પતિ અને સસરા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

vartmanpravah

સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય સહદેવ વઘાતે સભ્‍યપદ પરથી આપેલુંરાજીનામું

vartmanpravah

દમણના જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સોમનાથની એસવીજી કંપનીના સુપરવાઈઝરની હત્‍યામાં સામેલ કામદારને જનમટીપ અને રૂા.10 હજારના દંડની સજાનો કરેલો આદેશ

vartmanpravah

સ્‍વ. ગૌતમસિંહ નટવરસિંહ ગોહિલ તેમજ સમસ્‍ત પિતૃઓના શ્રેયાર્થે આજથી નરોલીના ગૌરી શંકર બંગલો, ગોહિલ ફળિયા ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા બીજેપી અનુસૂચિત મોરચા દ્વારા રમાબાઈ આંબેડકરની જન્‍મ જયંતી નિમિત્તે ફણસા ખાતે મહિલા મેડિકલ કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

જેસીઆઈ નવસારીના પ7મા સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે જેસીઆઈ નવસારીના નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઈ

vartmanpravah

Leave a Comment