March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીમાં પાર્ટ ટાઈમ ઈન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે કાર્યરત અલ્‍કેશ પટેલની પોસ્‍કો એક્‍ટ હેઠળ ધરપકડ

શિક્ષણ વિભાગ શાળાના આચાર્ય અને ઈન્‍ચાર્જ આચાર્યો માટે ‘ગુડ ટચ- બેડ ટચ’ વિશે જાગૃતિ લાવવા જિલ્લા સ્‍તરીય વર્કશોપનું આયોજન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીમાં પાર્ટ ટાઈમ ઈન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે કાર્યરત એક શિક્ષકની પોસ્‍કો એક્‍ટ હેઠળ ધરપકડ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં પાર્ટ ટાઈમ ડ્રોઈંગ ઈન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે કાર્યરત અલ્‍કેશકુમાર ભગુભાઈ પટેલે વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્‍ય રીતે સ્‍પર્શ કરી ગેરવર્તન કરતો હોવાની ફરિયાદના આધારે મોટી દમણ કોસ્‍ટલ પોલીસે આઈપીસીની 354, 354એ, 354ડી, 509 આઈપીસી અને પોસ્‍કો એક્‍ટની કલમ 10 અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ દમણ દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા અલ્‍કેશકુમાર ભગુભાઈ પટેલને તેના કરાર આધારિત પદ ઉપરથી તાત્‍કાલિક ધોરણે બરતરફ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.
મળતી માહિતી પ્રમાણે શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય તેમજ ઈન્‍ચાર્જ આચાર્ય માટે ‘ગુડટચ – બેડ ટચ’ વિશે જાગૃતિ લાવવા માટે જિલ્લા સ્‍તરીય વર્કશોપનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જેથી આવા કિસ્‍સાઓમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવી શકાય અને ઝડપી કાર્યવાહી પણ થઈ શકે.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશથી શૈક્ષણિક સંકુલમાં થતી કોઈપણ પ્રકારની બદપ્રવૃત્તિ સામે સંઘપ્રદેશ પ્રશાસનની હંમેશા ઝીરો ટોલરન્‍સની નીતિ રહી છે.

Related posts

આપણુ ગુજરાતઃ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઃ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતતા માટે ઇનોવેટીવ ટેક્નિક્સ અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

તડગામ ખાતે સરીગામ સીઇટીપી પાઇપલાઇનના મુદ્દે બોલાવેલી બેઠકમાં લેવાયેલા મહત્‍વના નિર્ણયો

vartmanpravah

વલસાડ જિલ્‍લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ અને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોએ જમ્‍પોર અને દેવકા બીચની કરેલી સાફ-સફાઈ

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

Leave a Comment