January 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીમાં પાર્ટ ટાઈમ ઈન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે કાર્યરત અલ્‍કેશ પટેલની પોસ્‍કો એક્‍ટ હેઠળ ધરપકડ

શિક્ષણ વિભાગ શાળાના આચાર્ય અને ઈન્‍ચાર્જ આચાર્યો માટે ‘ગુડ ટચ- બેડ ટચ’ વિશે જાગૃતિ લાવવા જિલ્લા સ્‍તરીય વર્કશોપનું આયોજન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીમાં પાર્ટ ટાઈમ ઈન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે કાર્યરત એક શિક્ષકની પોસ્‍કો એક્‍ટ હેઠળ ધરપકડ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં પાર્ટ ટાઈમ ડ્રોઈંગ ઈન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે કાર્યરત અલ્‍કેશકુમાર ભગુભાઈ પટેલે વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્‍ય રીતે સ્‍પર્શ કરી ગેરવર્તન કરતો હોવાની ફરિયાદના આધારે મોટી દમણ કોસ્‍ટલ પોલીસે આઈપીસીની 354, 354એ, 354ડી, 509 આઈપીસી અને પોસ્‍કો એક્‍ટની કલમ 10 અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ દમણ દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા અલ્‍કેશકુમાર ભગુભાઈ પટેલને તેના કરાર આધારિત પદ ઉપરથી તાત્‍કાલિક ધોરણે બરતરફ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.
મળતી માહિતી પ્રમાણે શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય તેમજ ઈન્‍ચાર્જ આચાર્ય માટે ‘ગુડટચ – બેડ ટચ’ વિશે જાગૃતિ લાવવા માટે જિલ્લા સ્‍તરીય વર્કશોપનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જેથી આવા કિસ્‍સાઓમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવી શકાય અને ઝડપી કાર્યવાહી પણ થઈ શકે.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશથી શૈક્ષણિક સંકુલમાં થતી કોઈપણ પ્રકારની બદપ્રવૃત્તિ સામે સંઘપ્રદેશ પ્રશાસનની હંમેશા ઝીરો ટોલરન્‍સની નીતિ રહી છે.

Related posts

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

રોટરી ક્‍લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર

vartmanpravah

દમણ વિજય માહ્યાવંશી મંડળ દ્વારા યોજાયો મફત નોટબૂક વિતરણ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓના સન્‍માનનો સમારંભ

vartmanpravah

અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી ઈસ્‍કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

Leave a Comment