Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

ઉમરસાડીના સ્‍થાનિકો-વાહન ચાલકોને મોતીવાડા બ્રિજથી 10 થી 12 કિ.મી.નો ચકરાવો મારવો પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ચૂંટણી મતદાનના બીજા દિવસથી જ સાત દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ કરવામાં આવ્‍યું છે. આગામી તા.8મી ડિસેમ્‍બર સુધી ફાટક બંધ રહેતા સ્‍થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો શરૂ થઈ ચૂક્‍યો છે.
ઉમરસાડી ગામના રહિશો, વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓ, નોકરીયાતો પારડી ફાટકથી જ અવર જવર કરે છે પરંતુ આજ તા.02 થી આગામી તા.08 ડિસેમ્‍બર સુધી રેલવે તંત્રએ ફાટક સાત દિવસ માટે બંધ કરી દીધું છે. લાઈન મેઈન્‍ટેનન્‍સ માટે બંધ કરાયેલ ફાટકને લઈ સેંકડો લોકો મુશ્‍કેલીમાં મુકાઈ જશે. ઉમરસાડીના લોકોએ અને વાહન ચાલકોએ પારડી આવવું હોય તો મોતિવાડા બ્રિજ થઈ 10 થી 12 કિલોમીટરનો ચકરાવો મારવો પડશે. રોજીંદા અપડાઉન કરતા તથા વિદ્યાર્થીઓ, દર્દીઓ માટે પારડી ફાટક બંધ થઈ જતા ભારે મુશ્‍કેલીનો સામનો આગામી સાત દિવસ માટે કરવો પડશે. આમ પણ રેલવે તંત્ર દ્વારા ઉમરગામથી વલસાડસુધી અનેક ફાટકો વારંવાર બંધ થતા રહે છે. ક્‍યાંક ઓવરબ્રિજના કામ અર્થે કાં તો મેઈન્‍ટેનન્‍સ માટેના કારણો ઉભા થતા રહ્યા છે.

Related posts

પારડી ખાતે બહુચરાજી માતાજીની ગોલ્‍ડન જ્‍યુબલી વર્ષની થઈ ભક્‍તિ ભાવપૂર્વક ઉજવણી

vartmanpravah

દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન શાહના નામની જાહેરાત થતા સન્‍માન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને 2 જૂને અનામત બેઠકોનો ડ્રો થશે

vartmanpravah

દમણ ખાતે લાઈવ કન્‍સર્ટમાં ભાગ લેવા આવેલ સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કપરાડાના શ્રમિક યુવકનું ધગડમાળમાં અકસ્‍માત: અંધારામાં લાઈટ વિના રોંગ સાઇડે પાર્ક કરેલ ટ્રકમાં બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

vartmanpravah

Leave a Comment