April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

ઉમરસાડીના સ્‍થાનિકો-વાહન ચાલકોને મોતીવાડા બ્રિજથી 10 થી 12 કિ.મી.નો ચકરાવો મારવો પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ચૂંટણી મતદાનના બીજા દિવસથી જ સાત દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ કરવામાં આવ્‍યું છે. આગામી તા.8મી ડિસેમ્‍બર સુધી ફાટક બંધ રહેતા સ્‍થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો શરૂ થઈ ચૂક્‍યો છે.
ઉમરસાડી ગામના રહિશો, વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓ, નોકરીયાતો પારડી ફાટકથી જ અવર જવર કરે છે પરંતુ આજ તા.02 થી આગામી તા.08 ડિસેમ્‍બર સુધી રેલવે તંત્રએ ફાટક સાત દિવસ માટે બંધ કરી દીધું છે. લાઈન મેઈન્‍ટેનન્‍સ માટે બંધ કરાયેલ ફાટકને લઈ સેંકડો લોકો મુશ્‍કેલીમાં મુકાઈ જશે. ઉમરસાડીના લોકોએ અને વાહન ચાલકોએ પારડી આવવું હોય તો મોતિવાડા બ્રિજ થઈ 10 થી 12 કિલોમીટરનો ચકરાવો મારવો પડશે. રોજીંદા અપડાઉન કરતા તથા વિદ્યાર્થીઓ, દર્દીઓ માટે પારડી ફાટક બંધ થઈ જતા ભારે મુશ્‍કેલીનો સામનો આગામી સાત દિવસ માટે કરવો પડશે. આમ પણ રેલવે તંત્ર દ્વારા ઉમરગામથી વલસાડસુધી અનેક ફાટકો વારંવાર બંધ થતા રહે છે. ક્‍યાંક ઓવરબ્રિજના કામ અર્થે કાં તો મેઈન્‍ટેનન્‍સ માટેના કારણો ઉભા થતા રહ્યા છે.

Related posts

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનનું ભૂત સામાન્‍ય સભામાં ફરી ધૂણ્‍યું : ડેપ્‍યુટી સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

બેડપાના પૂર્વ પંચાયત સભ્‍ય રાજેશ જાનુ વાંગડે ભાજપની બાંધેલી કંઠીઃ પૂર્વ સાંસદ સીતારામ ગવળી, હિરાભાઈ પટેલ અને પાવલુસભાઈ વાંગડની રંગ લાવી રહેલી મહેનત

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૧૪૭ કેસ નોંધાયા: ૫૨૦ ઍકટિવ કેસ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં મટકી ફોડી, રાસ રમી જન્‍માષ્ટમીની ઉજવણી : 3000 થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલા શ્રદ્ધા સુમન

vartmanpravah

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment