Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

ઉમરસાડીના સ્‍થાનિકો-વાહન ચાલકોને મોતીવાડા બ્રિજથી 10 થી 12 કિ.મી.નો ચકરાવો મારવો પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ચૂંટણી મતદાનના બીજા દિવસથી જ સાત દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ કરવામાં આવ્‍યું છે. આગામી તા.8મી ડિસેમ્‍બર સુધી ફાટક બંધ રહેતા સ્‍થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો શરૂ થઈ ચૂક્‍યો છે.
ઉમરસાડી ગામના રહિશો, વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓ, નોકરીયાતો પારડી ફાટકથી જ અવર જવર કરે છે પરંતુ આજ તા.02 થી આગામી તા.08 ડિસેમ્‍બર સુધી રેલવે તંત્રએ ફાટક સાત દિવસ માટે બંધ કરી દીધું છે. લાઈન મેઈન્‍ટેનન્‍સ માટે બંધ કરાયેલ ફાટકને લઈ સેંકડો લોકો મુશ્‍કેલીમાં મુકાઈ જશે. ઉમરસાડીના લોકોએ અને વાહન ચાલકોએ પારડી આવવું હોય તો મોતિવાડા બ્રિજ થઈ 10 થી 12 કિલોમીટરનો ચકરાવો મારવો પડશે. રોજીંદા અપડાઉન કરતા તથા વિદ્યાર્થીઓ, દર્દીઓ માટે પારડી ફાટક બંધ થઈ જતા ભારે મુશ્‍કેલીનો સામનો આગામી સાત દિવસ માટે કરવો પડશે. આમ પણ રેલવે તંત્ર દ્વારા ઉમરગામથી વલસાડસુધી અનેક ફાટકો વારંવાર બંધ થતા રહે છે. ક્‍યાંક ઓવરબ્રિજના કામ અર્થે કાં તો મેઈન્‍ટેનન્‍સ માટેના કારણો ઉભા થતા રહ્યા છે.

Related posts

રાજ્‍યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે: ઉનાળામાં નવજાતશિશુઓ, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્‍યાન આપવું જોઈએ : ડો.વી.કે.દાસ

vartmanpravah

આજે દમણમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ભવ્‍ય રોડ શોઃ દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી ઉમટનારી હજારોની જનમેદની

vartmanpravah

નરોલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે શાળાઓમાં જ મધ્‍યાહ્‌ન ભોજન બનાવવામાં આવે એ માટેની ઉગ્ર માંગ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, ઇનોવેશન હબ ખાતે ત્રિ દિવસીય ઇનોવેશન ફેસ્ટ-૨૦૨૩ યોજાયો

vartmanpravah

ચીખલીમાં રેશનકાર્ડમાં અનાજ બંધ કરી દેવાતા લોકોમાં નારાજગી

vartmanpravah

Leave a Comment