January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના 24 વિદ્યાર્થીઓને હાર્દિક જોશી દ્વારા બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: એક નોંધપાત્ર સિદ્ધિમાં, હાર્દિક જોશીની કરાટે એકેડમીના 24 વિદ્યાર્થીઓએ કરાટેમાં સફળતાપૂર્વક બ્‍લેક બેલ્‍ટ મેળવ્‍યા છે.ᅠકયોશી હાર્દિક જોશીના નિષ્‍ણાત માર્ગદર્શન હેઠળ, આ વિદ્યાર્થીઓએ બ્‍લેક બેલ્‍ટની પ્રતિષ્ઠિત સફર સુધી પહોંચવા માટે ઘણી પરીક્ષાઓ અને કસોટીઓ પાસ કરીને વર્ષોથી અથાક મહેનત કરી છે.
બ્‍લેક બેલ્‍ટ હાંસલ કરવું એ માત્ર માર્શલ આર્ટની નિપુણતાનું પ્રતીક નથી પણ તે સખત મહેનત, પ્રતિબદ્ધતા, ધ્‍યાન, હિંમત, શિસ્‍ત, ઇચ્‍છાશક્‍તિ અને આત્‍મવિશ્વાસનું પ્રતીક છે.ᅠવિદ્યાર્થીઓને માર્શલ આર્ટમાં તાલીમ આપવા માટે પોતાનુંજીવન સમર્પિત કરનાર હાર્દિક જોશી ગર્વથી જણાવે છે કે આ 24 નવા બ્‍લેક બેલ્‍ટ ધારકો માત્ર કરાટેમાં જ નહીં પરંતુ રાષ્‍ટ્ર માટે સકારાત્‍મક યોગદાન પણ આપશે.
હાર્દિક જોશી માર્શલ આર્ટના ક્ષેત્રમાં તેણે એની 30 વર્ષની સફરમાં 3,50,000 થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે.ᅠતેમજ છોકરીઓ, મહિલાઓ, વિકલાંગ વિદ્યાર્થીઓ અને આદીવાસી બાળકો સહિત જીવનના તમામ ક્ષેત્રોના લોકોનેᅠતાલીમ પ્રદાન કરી છે. અને અનેક વિક્રમો એમના દ્વારા સ્‍થાપિત થયા છે.
આ વિદ્યાર્થીઓની સફળતા એ વાપી માટે ગર્વની ક્ષણ છે, ઉલ્લેખનીય છે કે અત્‍યાર સુધીમાં હાર્દિક જોશી દ્વારા 495 જેટલા વર્લ્‍ડ ક્‍લાસ બ્‍લેક બેલ્‍ટ માસ્‍ટર્સ બન્‍યા છે, જે પણ ઘણી મોટી સિદ્ધિ છે. બ્‍લેક બેલ્‍ટ વિતરણના ભવ્‍ય કાર્યક્રમમાં હાર્દિક જોશીએ જણાવ્‍યું હતું કે બ્‍લેક બેલ્‍ટ લેવો એ અંત નથી પરંતુ એક નવી શરૂઆત છે અને જણાવ્‍યું હતું કે દરેક વિદ્યાર્થી એ આજીવન કરાટે પ્રેક્‍ટિસ સાથે જોડાઈ રહેવું જોઈએ.
આવનાર વર્ષોમાં ભારત દેશને વધુ ને વધુ બ્‍લેક બેલ્‍ટ માસ્‍ટર્સ પ્રદાન કરીશું.

Related posts

દમણ જિલ્લાની પરિયારી શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવ શિક્ષણના સિલેબસથી નહીં, સંસ્‍કારના નિર્માણથી ઉત્તમ નાગરિકનું સર્જન થાય છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લામાંકોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

vartmanpravah

પ્રદેશ ભાજપના સેલવાસ જિલ્લા ગ્રામીણ બૂથ સશક્‍તિકરણ અભિયાનના કાર્યનો આરંભ

vartmanpravah

વલસાડમાં જિલ્લા બહારના શિક્ષકોના યોજાયેલ બદલી કેમ્‍પમાં અન્‍યાય થતા શિક્ષકોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

પેટ્રોલ પંપ પર ગેસ પુરાવવા આવેલા કાર ચાલકોએ પંપના કર્મચારીને માર મારવાના બનાવમાં ચાર સામે ગુનો નોંધાયો

vartmanpravah

Leave a Comment