March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ઈમ્‍પેક્‍ટ ફી યોજનાના અમલમાં ભારે ઉદાસિનતા: અત્‍યાર સુધી રેગ્‍યુલાઈઝેશનની એકમાત્ર અરજી મંજૂર

સરકારે યોજનાની મુદત વધુ એકવાર લંબાવી 16 જૂન સુધીની કરી છે : પાલિકાને 105 અરજી મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: ગુજરાત સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા ઈમ્‍પેક્‍ટ ફી યોજનાનો અમલ કરવામાં આવ્‍યો છે. ગેરકાયદે બાંધકામને રેગ્‍યુલાઈઝ કરવાની આ યોજનાનો લાભ લેવા કે અમલવારી કરવામાં વાપીમાં ઉદાસિનતા જોવા મળી રહી છે. અત્‍યાર સુધીમાં પાલિકામાં એકમાત્ર અરજી મંજૂર કરાઈ છે તેથી લાગી રહ્યું છે કે પાલિકા મહેસુલી આવક મેળવવામાં પણ રસહિન દેખાઈ રહી છે. જો કે પાલિકાને બાંધખામ રેગ્‍યુલાઈઝ કરવાની 105 અરજી મળી છે.
વાપી શહેરી વિસ્‍તારમાં ગેરકાયદે બાંધકામનો ઠેર ઠેર રાફડો ફાટેલો જ છે. પ્‍લાન નકશાથી વિરૂધ્‍ધ બાંધકામ 20 થી 30 ટકા માર્જીનનું ઉલ્લંઘન કરાયું છે. તેવા ડેવલપર અનઅધિકૃત બાંધકામને ઈમ્‍પેક્‍ટ ફી યોજના હેઠળ લાભ લઈ અધિકૃત કરી શકે છે. એ માટે સરકારે યોજના પણ બનાવી છે. તેમજપાલિકાઓને વધુ મહેસુલી આવક મળે તે હેતુસર યોજનાને સરકારે 16 જૂન સુધી લંબાવી છે. તેમ છતાં વાપીમાં આ યોજનાની અમલવારીની કોઈ ઝાઝી અસર જોવા મળી નથી. પાલિકાને 105 જેટલી અરજી મળી છે તે પૈકી એકમાત્ર અરજી બીના અભય દોશીની મંજૂર કરી છે તે પેટે ઈમ્‍પેક્‍ટ ફી રૂા.3,31,500 વસુલવામાં આવ્‍યા છે. તો અન્‍ય અરજીઓ રેગ્‍યુલાઈઝ કરવામાં પાલિકાની પણ નિરસતા દેખાઈ રહી છે. આ યોજનામાં 20 થી 30 ટકા પાર્કિંગ માર્જીન ઉલ્લંઘન કરનારા રૂા.150 પ્રતિ ચો.મીટર ઈમ્‍પેક્‍ટ ફી ભરી બાંધકામ નિયમિત કરાવી શકે છે.

Related posts

વલસાડ સિવિલ હોસ્‍પિટલના 150 ઉપરાંત ઈન્‍ટર્ન ડોક્‍ટરો હડતાલ પર ઉતર્યા કોવિડના સમયે જાહેર કરાયેલ ઈન્‍સેટીવ નહી ચુકવતા ડોક્‍ટરોએ બીજી વખત પાડી હડતાલ

vartmanpravah

વાપી રોટરી હરિયા હોસ્‍પિટલને કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટરની માન્‍યતા મળી મુંબઈથી સુરત વચ્‍ચે પ્રથમ કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ યુનિટ વાપીમાં કાર્યરત થશે

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્‍ઝર્વર સાથે મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ

vartmanpravah

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડીસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ની રીજીયન 5 અને 6 વલસાડ જિલ્લામાં આવતી લાયન્‍સ ક્‍લબ દ્વારા ધરમપુર ખાતે નિઃશુલ્‍ક વિકલાંગ શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment