Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સેલવાસ અને ખાનવેલમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી પોલીસ દ્વારા નવી પહેલ જનતાની સમસ્‍યાઓના નિકાલ માટે જન સુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેલવાસ પોલીસ સ્‍ટેશન અને ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં એસએચઓની અધ્‍યક્ષતામાં 149 ફરિયાદો જેવી કે સેલવાસમાં 51 એફઆઈઆર, ખાનવેલમાં 8 એફઆઈઆર નોંધવામાં આવી હતી.
લીગલ એક્‍શન સેલવાસમાં 10 અને ખાનવેલમાં 5 ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્‍યું હતું. પેન્‍ડીંગ ઈન્‍ક્‍વાયરી સેલવાસમાં 30 અને ખાનવેલમાં 4 જેની પણ નોંધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સક્રિય રૂપે જાહેર જનતાએ ભાગ લીધો હતો અને આવા કાર્યક્રમના સંચાલન માટે પોલીસ વિભાગનોઆભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ અવસરે સેલવાસના એસ.એચ.ઓ. શ્રી અનિલ ટી.કે., ખાનવેલના એસ.એચ.ઓ. શ્રી જીગ્નેશ પટેલ સહિત દરેક ચોકીના પ્રભારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયાના એમ.ડી. એચ.એમ. જોશીએ સંઘપ્રદેશના પ્રશાસક સાથે કરેલીમુલાકાત

vartmanpravah

ગોવાના રાજ્‍યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું ભવ્‍ય સ્‍વાગત: દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ માટે ચૂંટણી સંદર્ભે ટ્રેનિંગનું આયોજન કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ખાતે રાત્રી ચૌપાલ અને બાયો ડિગ્રેડેબલ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah

Leave a Comment